કુપવાડામાં આતંકવાદીઓનો વધુ એક હુમલો, 4 ઘાયલ 1 જવાનને વીરગતિ પ્રાપ્ત! સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો
Kupwara Terrorists Attack: આતંકવાદીઓએ દેશમાં ઘુસવા માટે વધુ એક હિંસક પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ વીરતા દાખવીને નિષ્ફળ બનાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. LOC પર ભારતીય સેના અને પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ વચ્ચે ગોળીબાર થયો હતો. આ દરમિયાન એક ઘૂસણખોર માર્યો ગયો છે. જ્યારે એક જવાને શહાદત વહોરી છે. અન્ય 4 જવાન ઘાયલ હોવાનું કહેવાય છે. સેનાએ કુપવાડાના માછિલ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
માહિતી આપતાં સેનાએ જણાવ્યું કે, ફાયરિંગમાં એક જવાન શહીદ થયા છે. અને કેપ્ટન સહિત અન્ય ચાર જવાનો ઘાયલ થયા છે. માહિતી આપતા ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે જણાવ્યું કે અંકુશ રેખા પર માછિલ સેક્ટરના કામકરીમાં એક પોસ્ટ પર અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો. જેમાં એક પાકિસ્તાની નાગરિકનું મોત થયું છે. જેમાં અમારા બે જવાનો ઘાયલ થયા છે
સંરક્ષણ વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ માછિલ સેક્ટરમાં એન્કાઉન્ટર થયું હતું. ભારતીય સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાની બોર્ડ એક્શન ટીમ (BAT) એ LoC પર ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો. આ હુમલામાં પાકિસ્તાની સેના પણ સામેલ હતી. જે આતંકવાદી સંગઠનો સાથે મળીને કામ કરે છે.
વર્ષ 2008 પછી ફરી એકવાર સતત આતંકવાદી ઘટનાઓને કારણે લોકો ભયભીત અને ચિંતિત છે. છેલ્લા 46 દિવસમાં સાત આતંકવાદી ઘટનાઓમાં સેનાના 11 જવાનો શહીદ થયા છે અને 10 નાગરિકોના મોત થયા છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે હવે આ અંગે નિર્ણાયક રણનીતિનો સમય આવી ગયો છે.
આર્મીના ભૂતપૂર્વ કર્નલ સુશીલ પઠાણિયા કહે છે કે, ઉતાવળથી ઉબડખાબડ અને મુશ્કેલ વિસ્તારોમાં આતંકવાદીઓનો પીછો કરવાથી આપણા સૈનિકોને નુકસાન થઈ રહ્યું છે. જે વિસ્તારોમાં આતંકીઓ હાજર હોવાના અહેવાલ છે. અહીં અને ત્યાં તેમને ગ્રેનેડ, મોર્ટાર અને ગનશિપ હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને મારવા જોઈએ. આ વ્યૂહરચનાનો ઉપયોગ પહેલા પણ કરવામાં આવ્યો છે અને તેના ખૂબ સારા પરિણામો મળ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp