ચોથી T20 મેચ રમવા માટે પાછો ફરશે આ ખેલાડી! રોહિત કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવે છે, જાણો કોણ છે આ ખેલાડી
સ્પોર્ટ્સ ડેસ્ક : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ આજે રાત્રે 8 વાગ્યે રમાશે. પાંચ મેચની T20I શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. જો ભારત આજની મેચ જીતી જશે તો તે આ T20 શ્રેણી પર કબજો કરી લેશે. ચોથી ટી-20 મેચમાં એવા બેટ્સમેનને તક મળી શકે છે, જેને રોહિત શર્માની જેમ ખતરનાક માનવામાં આવે છે અને તે પોતાની બેટિંગથી તબાહી મચાવે છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20 મેચમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ઘાતક ખેલાડીની એન્ટ્રી કરશે. બીજી T20 મેચમાં રોહિત શર્મા પોતાના ઓપનિંગ પાર્ટનર તરીકે ડાબોડી બેટ્સમેન ઈશાન કિશનને તક આપી શકે છે. ઈશાન કિશન એક ક્ષણમાં મેચને ફેરવવામાં માહેર છે. ઈશાન કિશન ટીમ ઈન્ડિયાને વિકેટકીપિંગનો વિકલ્પ પણ આપે છે.
ચોથી T20 મેચમાં જો ઈશાન કિશન રોહિત શર્મા સાથે ઓપનિંગ માટે ઉતરે છે તો સૂર્યકુમાર યાદવને નંબર 3 પર બેટિંગ માટે મોકલી શકાય છે. આવી સ્થિતિમાં પ્લેઈંગ ઈલેવનમાંથી શ્રેયસ અય્યરનું કાર્ડ કપાઈ શકે છે. શ્રેયસ અય્યરને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ, બીજી અને ત્રીજી ટી20 મેચમાં 3 નંબર પર બેટિંગ કરવાની તક મળી, પરંતુ તે તકનો લાભ ઉઠાવી શક્યો નહીં. શ્રેયસ અય્યર વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. આ પછી, તે બીજી T20 મેચમાં માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ ઐયર ત્રીજી T20 મેચમાં 24 રન બનાવીને આઉટ થયો હતો.
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ચોથી T20 મેચમાં પોતાની ભૂલ સુધારવા માંગશે. ચોથી T20 મેચમાં ડાબોડી બેટ્સમેન હોવાના કારણે ઈશાન કિશનની પસંદગી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. ઈશાન કિશન તોફાની બેટિંગમાં માહેર છે અને થોડા બોલમાં મેચનો માર્ગ બદલી નાખે છે. ઈશાન કિશન ક્રિઝ પર આવતાની સાથે જ તે સૌથી મોટા બોલરનો ભડકો કરવા લાગે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp