Video: ‘.. તો પહેલી ગોળી મારી છાતીમાં લાગશે’, પશુપાલકો અને સાબર ડેરી વચ્ચેની જંગમાં કેજરીવાલની એન્ટ્રી
Arvind Kejrawal: ગુજરાત પેટાચૂંટણી જીત્યા બાદ, AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે મોડાસા મહાપંચાયતને સંબોધિત કરી હતી. જેમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો હવે ગોળી ચલાવવામાં આવશે તો પહેલા કેજરીવાલની છાતી પર અને પછી ખેડૂતોની છાતી પર ગોળી ચાલશે. તાજેતરમાં સાબરકાંઠા અને હિંમતનગરમાં પશુપાલકોએ દૂધના ભાવમાં વધારો કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. AAPએ દાવો કર્યો હતો કે એક પશુપાલકનું મોત થયું હતું. કેજરીવાલે સભામાં કહ્યું હતું કે AAP ભાજપના અત્યાચારોથી મુક્તિ અપાવશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ AAP દ્વારા આયોજિત મહાપંચાયતને સંબોધિત કરી હતી. માને કહ્યું હતું કે ભાજપની લૂંટ હવે લાંબો સમય ચાલશે નહીં. હવે ગુજરાતના લોકો પાસે ઝાડુનું બટન છે. આ ઝાડુથી ગુજરાત સહિત સમગ્ર ભારતની ખરાબ વ્યવસ્થા સાફ કરવામાં આવશે.
કેજરીવાલે કહ્યું કે 1987માં કોંગ્રેસે ખેડૂતો પર ગોળી ચલાવડાવી હતી અને 10 ખેડૂતો માર્યા ગયા હતા. ત્યારથી કોંગ્રેસ આજ સુધી સત્તામાં આવી નથી. હવે ભાજપ માટે કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. આપણા ભાઈ અશોક ચૌધરીજીની શહાદત વ્યર્થ નહીં જાય. જનતા ભાજપને પાઠ ભણાવશે અને ગુજરાતમાં પરિવર્તન લાવશે. આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે અને અમે ગુજરાતના લોકોના હકો માટે લડી રહ્યા છીએ. હવે આપણે ગુજરાતને ભાજપ અને કોંગ્રેસની ગઠબંધન સરકારથી મુક્ત કરાવવું પડશે.
અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ અદાણી માટે કામ કરે છે. ભાજપ અમીરોની સરકાર છે. તે અદાણી માટે કામ કરે છે. દુનિયામાં જ્યાં પણ અદાણીને કામની જરૂર હોય છે, ત્યાં વડાપ્રધાન તેમને કામ અપાવવા જાય છે. બીજી તરફ AAP ગરીબો, ખેડૂતો, પશુપાલકો અને ખેડૂતોની પાર્ટી છે અને અમે તમારા હકો, અધિકારો અને સન્માન માટે લડી રહ્યા છીએ. હવે આગામી વખત જ્યારે ગોળી ચલાવવામાં આવશે, તો તે પહેલા કેજરીવાલની છાતીમાં વાગશે. ગુજરાતની સહકારી મંડળીઓ ભાજપના લૂંટ અને ભ્રષ્ટાચારના નિયંત્રણમાં છે.
“अब कभी गोली चलेगी तो पहले केजरीवाल के सीने पर गोली चलेगी तब खेड़ूतों के सीने पर गोली चलेगी।”🔥@ArvindKejriwal pic.twitter.com/AvyKIe8qJb — AAP (@AamAadmiParty) July 23, 2025
“अब कभी गोली चलेगी तो पहले केजरीवाल के सीने पर गोली चलेगी तब खेड़ूतों के सीने पर गोली चलेगी।”🔥@ArvindKejriwal pic.twitter.com/AvyKIe8qJb
કેજરીવાલે કહ્યું કે, ઉત્તર ગુજરાતના ખેડૂત ભાઈઓ પણ પશુપાલક તરીકે કામ કરે છે. જો તમને તમારા હકો મળશે, તો તમારી ગરીબી દૂર થશે. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે ભ્રષ્ટાચાર સમાપ્ત થશે. આજે ડેરીઓમાં ભારે ભ્રષ્ટાચાર છે. અહીંનું ફેટ માપવાનું મશીન ગરબડિયું છે, તેની મદદથી તેઓ તમને લૂંટી રહ્યા છે. આપના ખેડૂત ભાઈ અશોક ચૌધરીનું 14 જુલાઈના રોજ દુઃખદ અવસાન થયું, તેમ છતા આ ભ્રષ્ટ સરકારે તમને તમારા હક આપ્યા નથી. તેમણે અશોકભાઈના પરિવારને વળતર તરીકે એક પણ પૈસો આપ્યો નથી. ત્યારબાદ, 18 જુલાઈના રોજ ઇસુદાન ગઢવીએ જાહેરાત કરી કે 23 જુલાઈના રોજ હું અને ભગવંત માન ગુજરાત આવીશું. ત્યારબાદ તરત જ તેમણે 17.5 ટકા બોનસ આપવાની ખોટી જાહેરાત કરી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp