Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાના બાદ એર ઈન્ડિયાના કેટલા પાયલટ્સ સિક લીવ પર ઉતરી

Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાના બાદ એર ઈન્ડિયાના કેટલા પાયલટ્સ સિક લીવ પર ઉતરી ગયા હતા? નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યમંત્રીએ આપ્યો જવાબ

07/25/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાના બાદ એર ઈન્ડિયાના કેટલા પાયલટ્સ સિક લીવ પર ઉતરી

Air India pilots took more sick leave after Ahmedabad crash MoS Murlidhar Mohol tells LS: અમદાવાદમાં 12 જૂને થયેલા વિમાન દુર્ઘટનાના 4 દિવસ બાદ એર ઇન્ડિયાના 112 પાયલટ્સ રજા ઉતરી ગયા હતા અને પોતાને બીમાર ગણાવીને 'સિક લીવ' લીધી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સંસદમાં આ માહિતી આપી છે. તેમણે પુષ્ટિ કરતા કહ્યું કે, એર ઇન્ડિયામાં થયેલા AI-171 અકસ્માત બાદ, તમામ ફ્લિટના પાયલટ્સ દ્વારા સિક લીવના કેસોમાં વધારો થયો છે.


અકસ્માત બાદ 112 પાઇયલટ્સ છુટ્ટી પર ગયા

અકસ્માત બાદ 112 પાઇયલટ્સ છુટ્ટી પર ગયા

ફ્લાઇટ નંબર AI-171 અકસ્માત બાદ એર ઇન્ડિયાના પાયલટ્સ દ્વારા લેવામાં આવેલી સામૂહિક રૂપે સીલ લીવ લેવાના સંબંધમાં ભાજપ સાંસદ જય પ્રકાશના સવાલ પર  રાજ્યમંત્રી મોહોલે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 16 જૂને કુલ 112 પાઇલટ્સ બીમાર હોવાની સૂચના આપી અહેવાલ આપ્યો હતો, જેમાં 51 કમાન્ડર (P1) અને 61 ફર્સ્ટ ઓફિસર (P2)નો સમાવેશ થાય છે. અકસ્માત બાદ, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એક મેડિકલ સર્ક્યૂલરમાં એરલાઇન્સને ફ્લાઇટ ક્રૂ અને એર ટ્રાફિક કંટ્રોલર્સના માનસિક સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવાની સલાહ આપી હતી. ઉપરાંત, સ્વાસ્થ્ય પર થતી પ્રતિકૂળ અસરોને દૂર કરવા માટે તાલીમ કાર્યક્રમો શરૂ કરો.

આ ઉપરાંત, મંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેટરો, FTO અને AAIને પણ પોતાના કર્મચારીઓ માટે માનસિક સ્વાસ્થ્ય દેખરેખ અંગે એક સપોર્ટ પ્રોગ્રામ બનાવવાની સલાહ આપવામાં આવી હતી. એરલાઇન્સ માટે આ દિશામાં કામ કરવું મહત્ત્વપૂર્ણ છે, જેથી ફ્લાઇટ ક્રૂ સભ્યો/ATCOને કોઈપણ સમસ્યા ઓળખવામાં, તેનો સામનો કરવામાં અને તેને દૂર કરવામાં મદદ મળી શકે. આ અકસ્માતમાં અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં એક મુસાફર સિવાય તમામ 241 લોકોના મોત થઈ ગયા હતા. આ ઉપરાંત, જે મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ પર વિમાન પડ્યું હતું ત્યાં પણ ઘણા લોકોની જાનહાનિ થઈ હતી અને અકસ્માતમાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા.


અમદાવાદમાં એક દુ:ખદ અકસ્માત થયો હતો

અમદાવાદમાં એક દુ:ખદ અકસ્માત થયો હતો

એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171એ ઉડાણ ભર્યાની થોડી મિનિટો બાદ જ અકસ્માતનો ભોગ બની હતી. વિમાન જમીન પર પડતા જ આગ લાગી ગઈ હતી અને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા. પીડિત પરિવારોના DNA સેમ્પલ્સના આધારે તેમની ઓળખ કરવામાં આવી હતી. ભારતીયો ઉપરાંત, બ્રિટિશ અને કેનેડિયન નાગરિકો પણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં સામેલ હતા.

અકસ્માતની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટેકઓફના એક સેકન્ડની અંદર જ ફ્યૂલ સ્વિચ કટ ઓફ મોડમાં જતી રહી હતી, જેના કારણે એન્જિનને ફ્યૂલ સપ્લાઈ બંધ થઈ ગઈ અને આ અકસ્માત થયો. જોકે, રિપોર્ટમાં એન્જિનની ફ્યૂલ સ્વીચો કેવી રીતે બંધ થઈ તેની પુષ્ટિ થઈ શકી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top