ICMRના રિસર્ચમાં મોટા ઘટસ્ફોટ' દેશમાં 56% બીમારી અનહેલ્થી ડાયટના કારણે! ICMRએ જાહેર કરી17 પોઈન્

ICMRના રિસર્ચમાં મોટા ઘટસ્ફોટ' દેશમાં 56% બીમારી અનહેલ્થી ડાયટના કારણે! ICMRએ જાહેર કરી17 પોઈન્ટની ગાઈડલાઇન,જાણો

05/09/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ICMRના રિસર્ચમાં મોટા ઘટસ્ફોટ' દેશમાં 56% બીમારી અનહેલ્થી ડાયટના કારણે! ICMRએ જાહેર કરી17 પોઈન્

ICMR releases dietary guidelines : ભારતમાં 56.4 ટકા બિમારી બિનઆરોગ્યપ્રદ આહારને કારણે થાય છે. તેમ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા બુધવારે આવશ્યક પોષક તત્ત્વોની જરૂરિયાતોને પહોંચી વળવા અને સ્થૂળતા અને ડાયાબિટીસ જેવા રોગો (NCDs)ને રોકવા માટે 17 આહાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.


NIN એ જણાવ્યું હતું કે

NIN એ જણાવ્યું હતું કે

હેલ્થ રિસર્ચ બોડી હેઠળ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN)એ જણાવ્યું હતું કે પૌષ્ટિક આહાર અને શારીરિક પ્રવૃત્તિ કોરોનરી હૃદય રોગ (CHD) અને હાયપરટેન્શન (HTN)ના નોંધપાત્ર પ્રમાણને ઘટાડી શકે છે અને ટાઇપ 2 ડાયાબિટીસને 80 ટકા સુધી અટકાવી શકે છે. આમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્વસ્થ જીવનશૈલીને અનુસરીને અકાળ મૃત્યુને અટકાવી શકાય છે. ખાંડ અને ચરબીવાળા ખોરાકના વધુ પડતા વપરાશ, ઓછી શારીરિક પ્રવૃત્તિ, સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપ અને વધુ વજનની સમસ્યાઓ અને વિવિધ પ્રકારના ખોરાકની મર્યાદિત પહોંચને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.


DGIમાં ૧૭ માર્ગદર્શિકા સૂચિબદ્ધ કરવામાં આવી

DGIમાં ૧૭ માર્ગદર્શિકા સૂચિબદ્ધ કરવામાં આવી

NINએ મીઠાનું સેવન મર્યાદિત કરવા, તેલનો ઓછો ઉપયોગ કરવા, યોગ્ય કસરત કરવા અને ખાંડ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ આઈટમ ઘટાડવા વિનંતી કરી છે. આ ઉપરાંત સ્થૂળતાને રોકવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનું અને ફૂડ લેબલ વાંચીને અને હેલ્ધી ફૂડના વિકલ્પો પસંદ કરીને માહિતી મેળવવાનું પણ સૂચન કર્યું હતું. ભારતના લોકો માટે આહાર માર્ગદર્શિકા (DGIs)નો ડ્રાફ્ટ ICMR-NINના નિયામક ડૉ. હેમલથા આરની આગેવાની હેઠળ નિષ્ણાતોની બહુ-શિસ્ત કમિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેની ઘણી વૈજ્ઞાનિક સમીક્ષાઓ કરવામાં આવી છે. DGIમાં સત્તર માર્ગદર્શિકા સૂચિબદ્ધ કરવામાં આવી છે.


ભારતીય અનાજ પર ખૂબ નિર્ભર : NIN

ભારતીય અનાજ પર ખૂબ નિર્ભર : NIN

આ ઉપરાંત NINએ વધુમાં જણાવ્યું કે 'કઠોળ અને માંસની મર્યાદિત ઉપલબ્ધતા અને ઊંચી કિંમતને કારણે ભારતીય વસ્તીનો મોટો વર્ગ અનાજ પર ખૂબ નિર્ભર છે. આને કારણે, આવશ્યક મેક્રોન્યુટ્રિઅન્ટ્સ (એમિનો એસિડ અને ફેટી એસિડ્સ) અને સૂક્ષ્મ પોષકતત્ત્વોનું ઓછું સેવન થાય છે. આવશ્યક પોષક તત્ત્વોનું ઓછું સેવન ચયાપચય (Metabolism)ને વિક્ષેપિત કરી શકે છે અને નાની ઉંમરથી જ ઇન્સ્યુલિન પ્રતિકાર અને સંબંધિત વિકૃતિઓનું જોખમ વધારી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top