ઉડાણ પહેલા જ દુબઈ જતી ફ્લાઈટમાંથી નીકળવા લાગ્યો ધુમાડો, 280 મુસાફરોમાં હાહાકાર
ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક-ઓફ પહેલા વિમાનની પાંખોમાંથી ધુમાડો નીકળવાનો મામલો સામે આવ્યો છે. જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે તાત્કાલિક અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જેના કારણે ફ્લાઈટ મોડી ઉપડી શકી હતી. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. વિમાનમાં 280 મુસાફરો દુબઈ જઈ રહ્યા હતા.
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે રાત્રે લગભગ 9.15 વાગ્યે ફ્લાઈટના ક્રૂને ધુમાડો નીકળવાની જાણ થઈ હતી. પંખાની નજીકથી ધુમાડો નીકળી રહ્યો હતો. વિમાનમાં કુલ 280 મુસાફરો હતા. તાત્કાલિક ટેક્નિકલ ટીમને ઘટનાસ્થળ પર મોકલવામાં આવી હતી. ટીમે વિમાનની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર 10 મિનિટ બાદ ધુમાડો નીકળતો બંધ થઈ ગયો. ફાયરવિભાગની ગાડીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર મોકલવામાં આવી હતી. ટેક-ઓફના થોડા સમય અગાઉ ધુમાડો નીકળવાને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અધિકારીઓએ ધુમાડો નીકળવાનું કોઈ કારણ બતાવ્યું નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp