BREAKING NEWS : વડોદરામાં ગણેશ વિસર્જન અને નર્મદામાં બજરંગ દળની યાત્રા પર વિધર્મી ટોળાંનો હુમલો

BREAKING NEWS : વડોદરામાં ગણેશ વિસર્જન અને નર્મદામાં બજરંગ દળની યાત્રા પર વિધર્મી ટોળાંનો હુમલો! 24 જ કલાકમાં બે જિલ્લામાં પથ્થરમારા

09/29/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

BREAKING NEWS : વડોદરામાં ગણેશ વિસર્જન અને નર્મદામાં બજરંગ દળની યાત્રા પર વિધર્મી ટોળાંનો હુમલો

ગુજરાતમાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. જે બાદમાં હવે નર્મદા જિલ્લામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ તરફ સંબંધિત પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવવા ના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.


નર્મદામાં બજરંગદળની યાત્રા પર પથ્થરમારો

નર્મદામાં બજરંગદળની યાત્રા પર પથ્થરમારો

નર્મદાના સેલંબા ખાતેથી આજે બજરંગ દળ શૉર્ય જાગરણ યાત્રા નીકળી હતી. આ દરમિયાન વિધર્મી લોકોએ આ યાત્રા પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે હાલ સેલંબામાં આગચંપીનો પણ બનાવ પણ બન્યો છે. વિગતો મુજબ કુઇદા ગામથી સેલંબા સુધી આ શોર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે. આ તરફ યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નર્મદા જિલ્લાની DySP, LCB અને SOGની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે. આ સાથે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, નર્મદા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.


વડોદરાના મંજુસર ગામમાં 2 જૂથ અથડામણ

વડોદરાના મંજુસર ગામમાં 2 જૂથ અથડામણ

આ તરફ વડોદરાના મંજુસર ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન 2 જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મંજુસર ગામના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો કરતાં યુવકોનો વીડિયો પણ સામે આવ્યો છે. આ તરફ હવે વાયરલ વિડીયોને આધારે મંજુસર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top