Video: ‘હું બનવા માગું છું ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન, મારી અંદર ઘણી ક્વાલિટી..’, આ ખેલાડીએ અશ્વ

Video: ‘હું બનવા માગું છું ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન, મારી અંદર ઘણી ક્વાલિટી..’, આ ખેલાડીએ અશ્વિનને કહી પોતાના દિલની વાત

05/29/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

Video: ‘હું બનવા માગું છું ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન, મારી અંદર ઘણી ક્વાલિટી..’, આ ખેલાડીએ અશ્વ

યુવા બેટ્સમેન શુભમન ગિલને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રિષભ પંત ઉપ-કેપ્ટન રહેશે. બીજી તરફ, અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે તે એક દિવસ ભારતીય ટેસ્ટ ટીમનું કેપ્ટન બનવા માગશે. પોતાની લાંબી કારકિર્દીમાં અલગ-અલગ કેપ્ટન સાથે રમીને, તે આ ભૂમિકાને ખૂબ સારી રીતે સમજી ગયો છે.


જાડેજાએ અત્યાર સુધીમાં 80 ટેસ્ટ મેચ રમી

જાડેજાએ અત્યાર સુધીમાં 80 ટેસ્ટ મેચ રમી

શું તે ભારતના ટેસ્ટ કેપ્ટન બનવા માગે છે..? એમ પૂછવામાં આવતા, 36 વર્ષીય જાડેજાએ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, હા, બિલકુલ. આટલા વર્ષોથી, હું અલગ-અલગ કેપ્ટન સાથે રમ્યો છું. મને દરેક કેપ્ટનની શૈલી બાબતે ખબર અને એ પણ સમજુ છું કે ખેલાડીઓ શું વિચારે છે અને શું ઇચ્છે છે.’ ભારત માટે 2012માં પોતાની પહેલી ટેસ્ટ રમનાર જાડેજાએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું અને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે પણ રમ્યો. જાડેજાએ અત્યાર સુધી 80 ટેસ્ટ મેચ રમી છે.

જાડેજાએ કહ્યું કે, ‘દરેક કેપ્ટનની પોતાની શૈલી હોય છે. હું દરેક ફોર્મેટમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ રમ્યો છું અને તેની વિચારસરણી ખૂબ જ સરળ છે. જો તેને લાગે કે કોઈ બેટ્સમેન એક જ જગ્યાએ શૉટ રમી શકે છે, તો ત્યાં ફિલ્ડર જરૂર લગાવશે.’


અશ્વિને જાડેજાને કેપ્ટન બનાવવાનું કર્યું સમર્થન

અશ્વિને જાડેજાને કેપ્ટન બનાવવાનું કર્યું સમર્થન

રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, અશ્વિને જાડેજાને કેપ્ટન બનાવવાનું સમર્થન કર્યું. તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, 'આપણે રવિન્દ્ર જાડેજાને કેમ ભૂલી જઇએ છીએ? જો નવા કેપ્ટનની જરૂર હોય, તો હું કહીશ કે 2 વર્ષ માટે કોઈ અનુભવી વ્યક્તિને કમાન સોંપ્યા બાદ, નવી વ્યક્તિને કમાન સોંપવી જોઈએ.’

જાડેજાએ એમ પણ કહ્યું કે, ટેસ્ટ ટીમ કરતા T20માં કેપ્ટનશીપ વધુ મુશ્કેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં, તમારે બોલરની જરૂરિયાત અનુસાર 2-3 ફિલ્ડરમાં બદલાવ કરવા પડે છે, બેટ્સમેનના હિસાબે નહીં.' ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ અલગ હોય છે. તેમાં વધુ વિચારવાની જરૂર નથી. તે IPL કે T20 જેટલી જટિલ નથી, જ્યાં દરેક બોલ મહત્ત્વનો હોય છે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top