કોરોનાની ચોથી લહેરની આશંકા, શું ફરી લાગશે લોકડાઉન? આગામી 21-28 દિવસ ભારત માટે મહત્ત્વપૂર્ણ!
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોમાં 1200થી વધુ સક્રિય કેસ સામે આવી ચૂક્યા છે. કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી સાથે જ, ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના નવા વેરિયન્ટના દર્દીઓ સામે આવી રહ્યા છે. એવામાં, હવે કોરોનાની ચોથી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોનાના વધતા જોખમ વચ્ચે, BHUના એક વૈજ્ઞાનિકે પણ મોટો દાવો કર્યો છે.
પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેએ જણાવ્યું કે, કોરોનાનો આ નવો સબ વેરિયન્ટ JN.1 સિંગાપુર, હોંગકોંગ, અમેરિકા બાદ ભારતમાં ફેલાઈ રહ્યો છે. જે રીતે ભારતમાં શરૂઆતી કેસ વધી રહ્યા છે એ હિસાબે, અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે આગામી 3-4 અઠવાડિયામાં પોતાના પીક પર હશે.
તેમણે જણાવ્યું કે કોરોનાની અલગ-અલગ લહેરોના સંક્રમણનો સમયગાળો અલગ-અલગ રહ્યો છે. પહેલી લહેર દરમિયાન લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જેના કારણે સંક્રમણનો દર ખૂબ ઓછો હતો. આ કારણે, પહેલી લહેરમાં સંક્રમણનો સમયગાળો લગભગ 60 દિવસનો હતો. ત્યારબાદ બીજી લહેરમાં આ સમયગાળો 21 દિવસમાં તેના ઉચ્ચ સ્તરે પહોંચ્યો. જ્યારે ત્રીજી લહેર અહીં 28-32 દિવસ સુધી સક્રિય રહી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે ઓમીક્રોનનો આ સબ વેરિયન્ટ લોકોને વધુ ઝડપથી અસર કરી શકે છે. જેના આધારે કહી શકાય કે તે 21-28 દિવસમાં તેના ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે. ત્યારબાદ કોરોનાના કેસ ફરી ઘટવા લાગશે.
તેમણે જણાવ્યું કે કોરોનાના JN.1 અને NB.1.8, આ બંને નવા વેરિયન્ટ કેટલા ઘાતક હોઈ શકે છે. તેના માટે તેમની ટીમ સતત સંશોધન કરી રહી છે. નવા વેરિયન્ટ પર નજર રાખવા માટે જીનોમ સિક્વન્સિંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેનાથી વાયરસના મ્યૂટેશનની જાણકારી મળી શકે છે. બીજી લહેર દરમિયાન, આલ્ફા સાથે કોરોનાના 2 વધુ વેરિયન્ટ મળી આવ્યા હતા. જેના કારણે કમ્યુનિટી સ્પ્રેડ થયો અને પછી સૌથી વધુ મોત થઈ. આ વખત પણ આવી શક્યતા છે કે નહીં તે અંગે સંશોધન ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં BHUના વૈજ્ઞાનિકોની એક ટીમ વારાણસીમાં સીવર સેમ્પલ્સ એકત્રિત કરશે અને તેનું પરીક્ષણ કરશે. આ પરીક્ષણમાં જાણવા મળશે કે વાયરસની કેટલી કોપી તેની અંદર છે. આ કમ્યુનિટી સ્પ્રેડ અને આગામી ભયની જાણકારી મળશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp