બોલો! સુરતમાં જેલના સળિયા વચ્ચેથી ભાગી ગયો આરોપી; ફરજ બજાવતા અધિકારીઓએ શું કરી રહ્યા હતા?
ઘણી ફિલ્મોમાં તમે જોયું હશે કે આરોપી જેલ તોડીને ભાગી જાય છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. એક આરોપી જેલના 2 સળિયા વચ્ચેથી ભાગી ગયો છે. વરાછા પોલીસમાં વાહન ચોરોનો આરોપી મોડી રાત્રે જેલના 2 સળિયા વચ્ચેથી ભાગી જવાની ઘટના સામે આવી છે. ફરજ બજાવતા PSO અને અન્ય કર્મચારીઓની નજર ચૂકવીને એક આરોપી ભાગી જતા અફરાતફરી મચી જવા પામી હતી.
મળતી માહિતી મુજબ, ASI જમાનાબેન સુનિલભાઈ 27 મેના રોજ રાત્રે PSO તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન અટકાયત કરાયેલા 11 જેટલા આરોપીઓને જેલની ગેલેરીમાં રાખવામા આવ્યા હતા. આ 11માંથી 4 આરોપીને રાત્રે ઈનવે મોબાઈલ માર્ફતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર બાદ રાત્રે 1:00 વાગ્યે આરોપી રવિ બાબૂલ પ્રજાપતિ સહિત અન્ય 3ને મોદી રાત્રે જેલમાં રાખ્યા હતા. ત્યારબાદ આરોપી રવિ સહિત 3 આરોપીને પૂછપરછ માટે સર્વિલાન્સ સ્ટાફ લોકમાંથી સર્વિલાન્સ રૂમમાં લઈ ગયો હતો અને તપાસ પૂર્ણ થયા બાદ તમામ આરોપીઓને પાછા જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ હાજર PSOએ લોકઅપમાં ગણતરી કરતા તમામ 11 આરોપી હાજર હતા. પછી તેઓ કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓની વ્યસ્તતાનો લાભ ઉઠાવીને આરોપી રવિ જેલના સળિયામાંથી નીકળીને ભાગી ગયો હતો.
સવારે PSOની નોકરી પૂર્ણ થતા અન્ય PSO ફરજ પર આવ્યા હતા, ત્યારે 10 જ આરોપી હોવાની જાણ થતાં અફરાતફરી મચી જવા પામી હતી. હાજર બંને PSO રજીસ્ટર લઈને આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે જેને વાહન ચોરીના આરોપમાં પકડીને વરાછા પોલીસને સોંપ્યો હતો, એ આરોપી રવિ પ્રજાપતિ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે જાણ થતા ઉચ્ચ અધિકારીઓએ દોડી આવ્યા હતા. આ ઘટના બાદ PSO જમાનાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે રવિ પ્રજાપતિએ વિરુદ્ધ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp