અમદાવાદ: ચંડોળા તળાવ બાદ આ બાપુનગર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું, 400 કરતા વધુ મકાનો ધ્વસ

અમદાવાદ: ચંડોળા તળાવ બાદ આ બાપુનગર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું, 400 કરતા વધુ મકાનો ધ્વસ્ત કરાયા; જુઓ વીડિયો

05/29/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદ: ચંડોળા તળાવ બાદ આ બાપુનગર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું, 400 કરતા વધુ મકાનો ધ્વસ

થોડા દિવસો અગાઉ અમદાવાદના ‘મિની બાંગલાદેશ ગણાતા ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તેનો પડઘો હજી શાંત પણ થયો નહોતો કે ત્યાં તંત્રએ બાપુનગરમાં મોટાપાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે. આજે સવારથી અકબરનગર વિસ્તારમાં લગભગ 400 કરતા વધુ જેટલાં મકાન-દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા.


ફરી દબાણ ન થાય તે માટે દીવાલ બનાવવામાં આવશે

ફરી દબાણ ન થાય તે માટે દીવાલ બનાવવામાં આવશે

આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ તમામ લોકોને મકાન ખાલી કરવા માટેની સૂચના આપી હતી. વર્ષ 2014માં 221 લોકોને વટવામાં વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી 76 લોકો હજી પણ અહીં રહેતા હતા. આજે વહેલી સવારથી AMCના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ હતી. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારબાદ ફરીથી દબાણ ન થાય તે માટે AMC દ્વારા દીવાલ બનાવી દેવામાં આવશે.


શાંતિપૂર્ણ રીતે મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું: ACP

શાંતિપૂર્ણ રીતે મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું: ACP

H ડિવિઝનના ACP આર.ડી. ઓઝાએ જણાવ્યું હતું કે, બાપુનગરના અકબરનગરના છાપરાના ડિમોલિશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2 ACP, 9 PI, 27 PSI અને 400 પોલીસકર્મી સહિત 10 SRP સેક્સન બંદોબસ્તમાં મૂકવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top