અંબાલાલ પટેલે જણાવ્યું- દક્ષિણ ગુજરાતમાં ક્યારથી ચોમાસુ બેસી જશે

અંબાલાલ પટેલે જણાવ્યું- દક્ષિણ ગુજરાતમાં ક્યારથી ચોમાસુ બેસી જશે

06/07/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અંબાલાલ પટેલે જણાવ્યું- દક્ષિણ ગુજરાતમાં ક્યારથી ચોમાસુ બેસી જશે

Ambalal Patel: અત્યારે ગુજરાતનાં ઘણા ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે જ જબરદસ્ત ઉકળાટ જોવા મળી રહ્યો છે. હવે ઉનાદાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. ગુજરાતમાં વરસાદ કોઈ પણ સમયે પડી શકે છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ તો વરસાદ પણ પડી રહ્યો છે. એવામાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ક્યારથી ચોમાસુ વિધિવત રીતે બેસી જશે.


ગુજરાતમાં ચોમાસુ રાબેતા મુજબનું રહેશે

ગુજરાતમાં ચોમાસુ રાબેતા મુજબનું રહેશે

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી કહે છે કે, ગુજરાતમાં ચોમાસું રાબેતા મુજબનું રહેશે. જોકે ગુજરાતમાં 22 તારીખથી ચોમાસાની શરૂઆત થશે. આ અગાઉ ગુજરાતીઓએ 34-41 ડિગ્રી તાપમાન સહન કરવાનો વારો આવશે. અનેક પ્રકારની સિસ્ટમ ઊભી થઈ રહી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના મતે 13 જૂને રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 14 જૂનથી 19 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યના વિભિન્ન જિલ્લાઓમાં ક્યાંક ભારે, તો ક્યાંક હળવો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં આ વર્ષે બંગાળના ઉપસાગરના પૂર્વ ભાગમાંથી ચોમાસું પ્રવેશ કરશે તેવું અનુમાન છે.


અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે વરસાદ સાથે જ આગામી 4-5 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે, જે ચોમાસાના આગમન પહેલાનો ઉકળાટ દર્શાવે છે. અરબી સાગરમાંથી આવતા ભેજના કારણે રાજ્યના વિભિન્ન જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ અનુમાન ખેડૂતો અને સામાન્ય જનતા બંને માટે રાહત અને તૈયારી કરવાનો સમય દર્શાવે છે.  હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 10 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે અને 22 જૂન સુધીમાં રાજ્યભરમાં વિધિવત્ રીતે ચોમાસું બેસી જશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top