શાળાના શૈક્ષણિક પ્રવાસને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે 2 ગણવેશધારીઓ સાથે આવશે, જો મહિલા વ

શાળાના શૈક્ષણિક પ્રવાસને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે 2 ગણવેશધારીઓ સાથે આવશે, જો મહિલા વિદ્યાર્થિનીઓનો પ્રવાસ હોય તો...

05/30/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

શાળાના શૈક્ષણિક પ્રવાસને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે 2 ગણવેશધારીઓ સાથે આવશે, જો મહિલા વ

હરવું-ફરવું અને પ્રવાસે જવાનું તો કોને ન ગમે, બધાને જ ગમે ખરું ને? જ્યારે બાળકોને શાળામાંથી પ્રવાસ લઈ જવાની જાહેરાત કરવામાં આવે ત્યારે બાળકો બાળકોની ખુશીનું ઠેકાણું રહેતું નથી. તેઓ ખુશી-ખુશીથી ઘરે જઈને પોતાના માતા-પિતાને જઈને કહે છે. વડોદરામાં સ્કૂલ પ્રવાસ દરમિયાન થયેલા હરણી બોટ કાંડ રાજ્ય સરકારે શૈક્ષણિક પ્રવાસ માટે નવી ગાઈડલાઇન જાહેર કરી હતી. ત્યારબાદ હવે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મોટો નિર્ણય લેવાયો છે. શાળમાંથી લઈ જવામાં આવતા પ્રવાસ દરમિયાન હવે ખાખી વર્દી પહેરીને 2 પોલીસકર્મીઓ શાળાના પ્રવાસમાં સાથે જશે. પરંતુ શાળામાંથી પ્રવાસ લઈ જવા અગાઉ શાળાના પ્રિન્સિપાલ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવી પડશે.


પત્રમાં શું કહેવામાં આવ્યું છે

પત્રમાં શું કહેવામાં આવ્યું છે

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક પત્ર પાઠવાયો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, DGP-IGP કોન્ફરન્સના અમલીકરણ અન્યવયે જણાવવાનું કે, માનનીય પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં DGP-IGP કોન્ફરન્સ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માનનીય પ્રધાનમંત્રીએ શ્રી તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી દ્વારા રાજ્ય પોલીસને અમલવારી કરવા માટે કુલ 108 Recommendetion સૂચિત કરેલ છે. જે પૈકી Recommendetion No. 06 અન્વયે નીચે મુજબનું સૂચન કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓએ માટે આયોજિત થતી પ્રવાસ/ટૂર/પિકનિક/મુલાકાત દરમિયાન ગણવેશધારી 2 પોલીસકર્મી સાથે હાજર રાખવા.

શાળાના આચાર્યશ્રીઓએ ઉપરોક્ત કામગીરી માટે લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

જો પ્રવાસ/ટૂર/પિકનિક/મુલાકાત મહિલા વિદ્યાર્થિનીઓની હોય તો મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા.


નિર્ણયનો તાત્કાલીક અમલ કરવા માટે શિક્ષણ વિભાગને નિર્દેશ કરાયો

નિર્ણયનો તાત્કાલીક અમલ કરવા માટે શિક્ષણ વિભાગને નિર્દેશ કરાયો

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ બાબતે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ને નિર્દેશ કર્યો છે કે, આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા માટે રાજ્યની તમામ શાળાઓના આચાર્યોને જરૂરી સૂચનાઓ આપવામાં આવે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત થઈ શકે, સાથે સાથે અન્ય મહત્વનો ઉદ્દેશ્ય છે કે વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સેતુ બંધાય અને પરસ્પર સુમેળ સંબંધ કેળવાય.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top