પાકિસ્તાનને આમ જ નથી કહેવાતું આતંકિસ્તાન, પોલિટિશિયન અને ટેરેરિસ્ટ્સ એક મંચ પર જોવા મળ્યા! જુઓ

પાકિસ્તાનને આમ જ નથી કહેવાતું આતંકિસ્તાન, પોલિટિશિયન અને ટેરેરિસ્ટ્સ એક મંચ પર જોવા મળ્યા! જુઓ વીડિયો

05/30/2025 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનને આમ જ નથી કહેવાતું આતંકિસ્તાન, પોલિટિશિયન અને ટેરેરિસ્ટ્સ એક મંચ પર જોવા મળ્યા! જુઓ

ભારતના ઓપરેશન સિંદૂરમાં માર ખાધા બાદ પાકિસ્તાન હજુ પણ પોતાની હરકત બંધ કરી રહ્યું નથી. પાકિસ્તાને ફરી એકવાર સ્ટેટ પ્રાયોજિત આતંકવાદના આરોપોને સાબિત કરી દીધા છે. પાકિસ્તાનથી આવેલી નવી તસવીરોમાં, લશ્કરના આતંકવાદીઓ અને શાહબાઝ શરીફના મંત્રીઓ એકસાથે સ્ટેજ શેર કરતા જોવા મળી રહ્યા છે.

28 મેના રોજ પાકિસ્તાનના પંજાબમાં યૌમ-એ-તકબીરના અવસર પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1998માં આ દિવસે, પાકિસ્તાને બલુચિસ્તાનના ચગાઈમાં સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યું હતું અને પરમાણુ સંપન્ન રાષ્ટ્ર બન્યું હતું. પરંતુ આ યૌમ-એ-તકબીર કાર્યક્રમમાં, લશ્કરના ખૂંખાર આતંકવાદીઓ સાથે શાહબાઝ શરીફના ઘણા મંત્રીઓ સ્ટેજ શેર કરતા જોવા મળ્યા.


શાહબાજના મંત્રી ખૂંખાર આતંકીઓ સાથે

શાહબાજના મંત્રી ખૂંખાર આતંકીઓ સાથે

પાકિસ્તાનના ખાદ્ય મંત્રી મલિક રશીદ અહમદ ખાન અને પંજાબ વિધાનસભાના સ્પીકર મલિક મુહમ્મદ અહમદ ખાન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ સૈફુલ્લાહ કસુરી, હાફિઝ સઈદનો દીકરો તલ્હા સઈદ અને આમિર હમઝા સાથે બેઠા જોઈ શકાય છે. આ બંને મંત્રીઓ વડાપ્રધાન શાહબાઝના ખૂબ નજીકના છે.

આ કાર્યક્રમમાં આતંકવાદનો મહિમામંડન કરવામાં આવ્યો હતો અને ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યા હતા. આતંકવાદીઓથી અંતર રાખવાને બદલે, શાહબાઝના આ મંત્રીઓ સ્ટેજ પર આતંકવાદીઓનું સ્વાગત કરતા, તેમને ગળે લગાવતા, તેમની પ્રશંસા કરતા અને પાકિસ્તાનની રક્ષામાં આ આતંકવાદીઓની ભૂમિકાનું મહિમામંડન કરતા જોવા મળ્યા.


શાહબાજના મંત્રી બોલ્યા- હાફિઝ અને કસૂરી જેવા લોકો પાકિસ્તાનીઓનું પ્રતિનિધિત્વ કરે છે

શાહબાજના મંત્રી બોલ્યા- હાફિઝ અને કસૂરી જેવા લોકો પાકિસ્તાનીઓનું પ્રતિનિધિત્વ કરે છે

શાહબાઝના મંત્રી મલિક રશીદે ખુલ્લેઆમ જાહેર કર્યું કે પાકિસ્તાનના 24 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ હાફિઝ સઈદ અને સૈફુલ્લાહ કસુરી જેવા લોકો કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં સૌથી ચોંકાવનારી હાજરી સૈફુલ્લાહ કસુરીની હતી, જેને પહેલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. પહેલગામ હુમલા બાદ કસુરી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. 24 મિનિટના દ્વેષપૂર્ણ ભાષણમાં, કસુરીએ ગર્વથી કહ્યું કે પહેલગામ હુમલા માટે મને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો અને હવે આખી દુનિયા મારું નામ જાણે છે. આ કાર્યક્રમમાં કસુરીની હાજરી એ ગુપ્તચર માહિતીની પુષ્ટિ કરે છે કે ISIએ બહાવલપુરમાં કસુરીને આશ્રય આપ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top