Video: શશિ થરૂરની નારાજગી બાદ આ દેશના બદલાયા સૂર; અગાઉ પાકિસ્તાનમાં માર્યા ગયેલા આતંકીઓ પર વ્યક

Video: શશિ થરૂરની નારાજગી બાદ આ દેશના બદલાયા સૂર; અગાઉ પાકિસ્તાનમાં માર્યા ગયેલા આતંકીઓ પર વ્યક્ત કરેલી સંવેદના

05/31/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: શશિ થરૂરની નારાજગી બાદ આ દેશના બદલાયા સૂર; અગાઉ પાકિસ્તાનમાં માર્યા ગયેલા આતંકીઓ પર વ્યક

ઓપરેશન સિંદૂર પર શશિ થરૂરના નેતૃત્વમાં ભારત દ્વારા મોકલવામાં આવેલા પ્રતિનિધિમંડળને મોટી સફળતા મળી છે. કોલંબિયાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પર સંવેદના વ્યક્ત કરી હતી, પરંતુ હવે તેણે સત્તાવાર રીતે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે.


કોલંબિયાએ પોતાનું અગાઉનું નિવેદન પાછું ખેંચ્યું

કોલંબિયાએ પોતાનું અગાઉનું નિવેદન પાછું ખેંચ્યું

પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા શશિ થરૂરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે- અમે (ભારત) કોલંબિયા સરકારની પ્રતિક્રિયાથી થોડા નિરાશ છીએ. ભારતીય પ્રતિનિધિમંડળને મળ્યા બાદ, કોલંબિયાના નાયબ વિદેશ મંત્રી યોલાન્ડા વિલાવિસેન્સિયોએ કહ્યું, 'આજે અમને મળેલી સ્પષ્ટતા પર અમને પૂરો વિશ્વાસ છે. કાશ્મીરમાં જે કઈ થયું તે અંગે અમારી પાસે હવે જે વિગતવાર માહિતી છે તેના આધારે, અમે વાતચીત ચાલુ રાખી શકીએ છીએ.'

કોલંબિયાએ તરફથી પોતાનું અગાઉનું નિવેદન પાછું ખેંચવા અંગે, કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે , ‘કોલંબિયાના નાયબ વિદેશ મંત્રીએ ખૂબ જ નમ્રતાથી અમને કહ્યું કે તેમણે એ નિવેદન પાછું ખેંચી લીધું છે જેના પર અમે ચિંતા વ્યક્ત કરી હતી અને તેઓ આ બાબતે આપણી સ્થિતિને સંપૂર્ણપણે સમજે છે, જે અમારા માટે ખૂબ મૂલ્યવાન છે.’


શશિ થરૂરે કોલંબિયા સમક્ષ વ્યક્ત કરી હતી નારાજગી

શશિ થરૂરે કોલંબિયા સમક્ષ વ્યક્ત કરી હતી નારાજગી

22 એપ્રિલે પહેલગામમાં થયેલા હુમલા બાદ આતંકવાદ સામેની લડાઈ પર ભારતના વલણને વ્યક્ત કરવા માટે ભારતીય સાંસદોનું એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોની મુલાકાત લઈ રહ્યું છે. સરહદ પારની આતંકવાદી ગતિવિધિઓ માટે પાકિસ્તાનના સમર્થન અને આતંકવાદ પ્રત્યે ભારતના શૂન્ય સહિષ્ણુતાના અભિગમને વ્યક્ત કરવા માટે થરૂર કોલંબિયાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. ગુરુવારે કોલંબિયાની રાજધાનીમાં એક પત્રકાર પરિષદમાં, થરૂરે આતંકવાદ પર ભારતના વલણને વિસ્તૃતથી પ્રકાશ પાડ્યો, ‘ઓપરેશન સિંદૂર’ બાબતે વાત કરી અને પહેલગામ આતંકવાદી હુમલા પર કોલંબિયાના પ્રતિભાવ પર નિરાશા વ્યક્ત કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top