Mathura Sridharan: કોણ છે અમેરિકામાં સોલિસિટર બનેલા ભારતીય મૂળના મથુરા શ્રીધરન, જેઓ ચાંદલો લગાવ

Mathura Sridharan: કોણ છે અમેરિકામાં સોલિસિટર બનેલા ભારતીય મૂળના મથુરા શ્રીધરન, જેઓ ચાંદલો લગાવવાને કારણે થયા ટ્રોલ

08/04/2025 World

SidhiKhabar

SidhiKhabar

Mathura Sridharan: કોણ છે અમેરિકામાં સોલિસિટર બનેલા ભારતીય મૂળના મથુરા શ્રીધરન, જેઓ ચાંદલો લગાવ

Who is Mathura Sridharan: અમેરિકામાં વધતી જતું જ ગન કલ્ચર પહેલાથી ચિંતાનો વિષય છે અને હવે ત્યાં નફરતભરી વિચારસરણી પણ વધી રહી છે. ભારતીય મૂળના મહિલા મથુરા શ્રીધરનને અમેરિકામાં માત્ર એટલા માટે ટ્રોલ કરવામાં આવી રહી છે કારણ કે તેઓ ચાંદલો લગાવે છે અને તેમને ઓહિયો રાજ્યના સોલિસિટર જનરલ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઓહિયોના એટર્ની જનરલ ડેવ યોસ્ટે ગત 31 જુલાઈના રોજ શ્રીધરનની નિમણૂક કરી હતી. ત્યારથી મથુરા શ્રીધરન વિરુદ્ધ જાતિવાદી અને અપમાનજનક ટિપ્પણીઓનો પૂર આવી રહ્યો છે.


ઓહિયો સોલિસિટર જનરલ તરીકે ચૂંટાયા

ઓહિયો સોલિસિટર જનરલ તરીકે ચૂંટાયા

ટ્રોલર્સ સવાલ  કરી રહ્યા છે કે આ પદ કોઈ પણ અમેરિકનને કેમ ન આપવામાં આવ્યું. ઓહિયોના એટર્ની યોસ્ટે કહ્યું કે મથુરા શ્રીધરન 12મા સોલિસિટર જનરલ માટે તેમની પસંદગી છે. X પર તેમની નિમણૂકની જાહેરાત કરતા એટર્ની જનરલે કહ્યું કે, તેઓ ખૂબ જ પ્રતિભાશાળી છે અને રાજ્યની શ્રેષ્ઠ રીતે સેવા કરશે.

ડેવ યોસ્ટે લખ્યું કે, ‘મથુરા ખૂબ જ પ્રતિભાશાળી છે. તેમણે ગયા વર્ષે SCOTUSમાં પોતાનો બહેસ જીતી હતી. જે 2 SG (ફ્લાવર્સ અને ગેસર)ને આધિન તેમણે કામ કર્યું હતું, તેમણની ભલામણ કરી હતી. જ્યારે મેં પહેલીવાર તેમની નિમણૂક કરી, ત્યારે મેં તેમને કહ્યું કે મારે તેની સાથે બહેસ કરવાની જરૂર છે. હું તેમને પ્રમોટ કરવા માટે ઉત્સાહિત છું. તે ઓહિયોની સારી સેવા કરશે.'

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સોલિસિટર જનરલના પદ પર પહોંચવ છતા, શ્રીધરનને ભારતીય હોવા અને ચાંદલો લગાવવા બદલ જાતિવાદી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. એક રિપ્લાયમાં ટ્રોલરે લખ્યું કા, 'આટલા મહત્ત્વપૂર્ણ રોલ માટે તમે એવી વ્યક્તિને કેમ પસંદ કરશો જે અમેરિકન નથી?' કેટલાક લોકો તેમના ચાંદલાના લાલ રંગ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે કેટલાક ટ્રોલર તેમની લાયકાતને લઈને પણ નિવેદનબાજી કરી રહ્યા છે.

આ ટ્રોલિંગ બાદ, ઓહિયોના એટર્ની જનરલ ડેવ યોસ્ટે ટ્રોલ્સને આડે હાથ લીધા. તેમણે સ્પષ્ટતા કરી છે કે કેટલાક લોકોને ગેરસમજ છે કે મથુરા અમેરિકન નથી, પરંતુ તેઓ પૂરી રીતે અમેરિકન નાગરિક છે. તેમના લગ્ન પણ એક અમેરિકન નાગરિક સાથે થયા છે. યોસ્ટે આગળ લખ્યું કે, 'જો તમને તેના નામ કે રંગથી કોઈ સમસ્યા છે, તો સમસ્યા તેમનાથી કે તેમની નિમણૂકથી નહીં પણ તમારી વિચારસરણીથી છે.


મથુરા શ્રીધરન કોણ છે?

મથુરા શ્રીધરન કોણ છે?

મથુરા શ્રીધરન એક ભારતીય-અમેરિકન વકીલ છે, જે હાલમાં ઓહિયો એટર્ની જનરલ ઓફિસમાં ડેપ્યુટી સોલિસિટર જનરલ તરીકે કાર્યરત છે. રાજ્યના એટર્ની જનરલ ડેવ યોસ્ટ દ્વારા તેમને 12મા સોલિસિટર જનરલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ અગાઉ, શ્રીધરન બે વર્ષ માટે રાજ્યના એટર્ની જનરલ ઓફિસમાં ઓહિયોના દસમા કમાન્ડમેન્ટ સેન્ટરના ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

ફેડરલિસ્ટ સોસાયટીની વેબસાઇટ અનુસાર, ઓહિયો સોલિસિટર ઓફિસમાં જોડાતા પહેલા, શ્રીધરને અમેરિકન કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ સેકન્ડ સર્કિટના જજ સ્ટીવન જે. મેનાશી અને સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્ક માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ડેબોરાહ એ. બેટ્સ માટે ક્લાર્ક તરીકે કામ કર્યું હતું.

શ્રીધરને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી હાંસલ કરી છે અને પ્રતિષ્ઠિત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)માંથી સ્નાતક થયા છે અને 2008માં અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો છે. ત્યારબાદ તેમણે MITમાંથી એજ વિષયોમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. વર્ષ 2015માં, શ્રીધરને ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી કાયદાનો અભ્યાસ કર્યો અને 2018માં સ્નાતક થયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top