ઓપરેશન સિંદૂર બાદ, બહાવલપુરમાં 200 આતંકવાદીઓની થઈ હતી બેઠક, ISI અધિકારીઓ પણ થયા હતા સામેલ

ઓપરેશન સિંદૂર બાદ, બહાવલપુરમાં 200 આતંકવાદીઓની થઈ હતી બેઠક, ISI અધિકારીઓ પણ થયા હતા સામેલ

05/31/2025 World

SidhiKhabar

SidhiKhabar

ઓપરેશન સિંદૂર બાદ, બહાવલપુરમાં 200 આતંકવાદીઓની થઈ હતી બેઠક, ISI અધિકારીઓ પણ થયા હતા સામેલ

પહેલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દીધી હતી, જેના કારણે આખા દેશમાં રોષ ફેલાયો હતો. ત્યારબાદ ભારત સરકાર અને ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKની અંદર આવેલા 9 જેટલા આતંકી ઠેકણાઓને એરસ્ટ્રાઈક કરીને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો હતો. પાકિસ્તાન તો એટલું બોખલાઈ ગયેલું કે તેણે ભારતીય સિવિલિયનો, ભારતીય સેનાના એરબેઝો અને ભારતીય રેસિડેન્શિયલ વિસ્તારો પર એટેક કરવાનું ચાલુ કરી દીધું હતું. પરંતુ ભારતીય એર ડિફેન્સે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા તમામ નાપાક પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા હતા. અને સેનાએ જવાબી કાર્યવાહીમાં નૂર ખાન એર બેઝ સહિત 11 જેટલા એરબેઝ તબાહ કરીને પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું. પછી શું હતું. પાકિસ્તાન બીજા દેશો સામે આજીજી કરવા લાગ્યું. ત્યારબાદ પાકિસ્તાનના DGMOએ ભારતના DGMOને સંપર્ક કરીને સીઝફાયર કરવા કહ્યું અને બંને દેશોની સહમતિથી 10 મેની સાંજે સીઝ ફાયર થઈ ગયું, પરંતુ કહેવાય છે ને કે કૂતરાની પૂછડી વાંકી તે વાકી, ક્યારેય સીધી નહીં થાય, તેવી જ રીતે પાકિસ્તાનની આદતોની પૂછડી પણ વાંકી છે તેને ક્યારેય સીધી નહીં કરી શકાય. પાકિસ્તાને સીઝફાયર થયાના થોડા જ કલાકોમાં ભારતીય વિસ્તારોમાં ડ્રોન એટેક કરીને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું, પરંતુ ત્યારબાદ બંને દેશોની સીમા પર શાંતિ છવાઈ. ઓપરેશન સિંદૂર બાદ આતંકીઓના આકા પણ અકળાયા છે.  


ઓપરેશન સિંદૂર બાદ 200 આતંકીઓની બેઠક

ઓપરેશન સિંદૂર બાદ 200 આતંકીઓની બેઠક

ભારતના ઓપરેશન સિંદૂર બાદ, પાકિસ્તાનના બહાવલપુરમાં આતંકવાદીઓની બેઠક યોજાઈ હતી. અહેવાલ છે કે આ બેઠકમાં જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 200થી વધુ આતંકવાદીઓ અને કમાન્ડરોએ ભાગ લીધો હતો. આ બેઠકનો હેતુ ભારત સામે બદલો લેવાનો હતો. આ બેઠક ખુલ્લા મેદાનમાં તંબુ લગાવીને કરવામાં આવી હતી. આ બેઠકમાં જૈશ ઉપરાંત, વિવિધ પ્રાંતોમાંથી લશ્કરના ઘણા આતંકવાદીઓ અને કમાન્ડરોને બોલાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ISI સાથે સંકળાયેલા ઘણા અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર હતા.


ઉશ્કેરણીજનક ભાષણો દ્વારા જેહાદીઓને બદલો લેવા માટે ઉશ્કેરવાનો નિર્ણય લેવાયો

ઉશ્કેરણીજનક ભાષણો દ્વારા જેહાદીઓને બદલો લેવા માટે ઉશ્કેરવાનો નિર્ણય લેવાયો

બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તમામ સંગઠનોના કમાન્ડરો જેહાદીઓની અલગ-અલગ બેઠકો કરશે. જેમાં ઉશ્કેરણીજનક ભાષણો દ્વારા જેહાદીઓને બદલો લેવા માટે ઉશ્કેરવામાં આવશે. તેમાં, પોસ્ટરોમાં ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બહાવલપુરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન જૈશના મુખ્યાલય પર થયેલા હુમલાના વીડિયો પણ બતાવવામાં આવ્યા હતા. પોસ્ટર પર ઓપરેશન સિંદૂર દરમિયાન ખંડેરમાં ફેરવાયેલા જૈશના મુખ્યાલયનો ફોટો પણ ઉપયોગમાં લેવાયો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top