ઘોર કળિયુગનું આનાથી વિશેષ ઉદાહરણ શું હોય શકે! 4 વહુઓની સાસુ પોતાના 30 વર્ષીય પ્રેમી સાથે ફરાર
ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. જાખોરા પોલીસ સ્ટેશન વિસ્તારના શંકરવાર કાલા ગામમાં, 4 વહુઓની સાસુ તેના 30 વર્ષીય પ્રેમી સાથે ઘરેથી ફરાર થઈ ગઈ. એવો પણ આરોપ છે કે જતા-જતા તે વહુઓના કિંમતી ઘરેણાં પણ પોતાની સાથે લઈ ગઈ.
જ્યારે પીડિત વૃદ્ધ પતિ હરિરામ પાલને જ્યારે તેની પત્ની ભગવતીની આ હરકતની ખબર પડી તો તેમના હોશ ઊડી ગયા. પહેલા તેણે સ્થાનિક જાખોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ જ્યારે તેને ત્યાંથી કોઈ મદદ ન મળી, તો તેણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને ન્યાય માટે અપીલ કરી. હરિરામ પાલનો આરોપ છે કે તેની પત્નીને તે જ ગામમાં રહેનાર 30 વર્ષીય યુવક કૃષ્ણપાલ ઝાએ લલચાવીને પોતાની સાથે ભાગાવી લઈ ગયો. હરિરામ પાલનું કહેવું છે કે ભગવતી લગભગ 2 મહિના અગાઉ અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પહેલા તો તેમને લાગ્યું કે તે કોઈ સંબંધીના ઘરે ગઈ હશે, પરંતુ જ્યારે ઘણા દિવસો સુધી તે ન મળી નને ઘરમાં રાખેલા વહુઓના ઘરેણા પણ ગાયબ થઈ ગયા, ત્યારે તેમને વાસ્તવિક મામલો સમજાયો.
ઘરમાં ચાર વહુઓ છે, જ્યારે તેમને ખબર પડી કે તેમની સાસુ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને તેમના ઘરેણા પણ લઈ ગઈ છે, ત્યારે તેમનો વિશ્વાસ તૂટી ગયો. વહુઓનું કહેવું છે કે એક તરફ તેમને સમાજમાં બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ તેમની વર્ષોની જમા-પૂંજી પણ જતી રહી છે. એક વહુનું કહેવું છે કે, અમને તો આ વાત પર ભરોસો જ થઈ રહ્યો નથી.
આ કેસમાં, જાખોરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે થોડા અઠવાડિયા અગાઉ ભગવતી પોતે પોલીસ સ્ટેશન આવી હતી. તેણે પોલીસને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે હવે પોતાના પતિ અને તેના પરિવાર સાથે રહેવા માગતી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા પુખ્ત વયની છે અને તેણે પોતાની મરજીથી આ નિર્ણય લીધો છે, એટલે તેમના દ્વારા કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. સ્ટેશન ઇન્ચાર્જે કહ્યું કે મહિલાએ આ મામલે પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે, એટલે અમે કોઈ બળજબરીથી કાર્યવાહી કરી શકતા નથી.
હરિરામ પાલે લલિતપુર પોલીસ અધિક્ષક કાર્યાલય પહોંચીને મુખ્યમંત્રીને સંબોધિત એક પત્ર સોંપ્યો, જેમાં તેમણે સમગ્ર મામલાની તપાસ કરવા અને તેમની પત્નીને પરત લાવવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે માત્ર પત્નીની ચોરી જ નહીં, પરંતુ ઘરેણાંની ચોરી પણ એક ગંભીર ગુનો છે, જેના પર પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. હરિરામનું કહેવું છે, હું એક વૃદ્ધ માણસ છું. હવે આ ઉંમરે ન તો કોઈ સહારો છે કે ન તો કોઈ આશા. મારી પત્નીએ જે કર્યું તેનાથી ઘર તૂટી ગયું. વહુઓ પિયર જતી રહી છે. ઘર બરબાદ થઈ ગયું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp