Video: ભૂકંપનો ફાયદો ઉઠાવીને કરાચી જેલથી ભાગ્યા 200થી વધુ કેદી, ફાયરિંગમાં એકનું મોત

Video: ભૂકંપનો ફાયદો ઉઠાવીને કરાચી જેલથી ભાગ્યા 200થી વધુ કેદી, ફાયરિંગમાં એકનું મોત

06/03/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: ભૂકંપનો ફાયદો ઉઠાવીને કરાચી જેલથી ભાગ્યા 200થી વધુ કેદી, ફાયરિંગમાં એકનું મોત

ભૂકંપ લોકો માટે આફત લાવે છે, જેમાં ઘણા લોકોના ઘર તૂટી પડે છે અને શહેરની માળખાગત સુવિધાને નુકસાન થાય છે, પરંતુ પાકિસ્તાનના કરાચીમાં આવેલો ભૂકંપ કરાચી જેલમાં બંધ કેદીઓ અવસર લઈને આવ્યો.  સોમવારે મોડી રાત્રે પાકિસ્તાનના કરાચીમાં આવેલી માલીર ડિસ્ટ્રિક્ટ જેલમાંથી કુલ 216 કેદીઓ ભાગી ગયા હોવાની માહિતી સામે આવી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ અને જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં સતત હળવા ભૂકંપના આંચકાને કારણે સર્જાયેલી અફરાતફરી વચ્ચે કેદીઓની ભગવાની ઘટના થઈ. ઘણા કેદીઓ પહેલાથી જ તેમના બેરેકની બહાર હતા, તેમણે આ અફરાતફરીનો ફાયદો ઉઠાવ્યો અને જેલ સ્ટાફ પર દબાવ બનાવ્યો. ત્યારબાદ હિંસક અથડામણ સર્જાઈ. જો કે, આ 216 કેદીઓમાંથી એકનું મોત થઈ ગયું. તો 80 કેદીઓને પકડી લેવામાં આવ્યા છે. આ દરમિયાન 5 સુરક્ષકર્મી ઇજાગ્રસ્ત થયા છે.


DIG મોહમ્મદ હસને શું કહ્યું?

DIG મોહમ્મદ હસને શું કહ્યું?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, કરાચીમાં આવેલા ભૂકંપ દરમિયાન માલીર જેલની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી, જેના કારણે ઘણા કેદીઓ ક્ષતિગ્રસ્ત માળખાને તોડીને ભાગવામાં સફળ થયા. કરાચીના DIG મોહમ્મદ હસન સેહતોએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે ઘણા કેદીઓ તેમની બેરેકમાંથી નીકળી આવ્યા, જેલનો દરવાજો તોડીને જેલ સ્ટાફ પર હુમલો કરી દીધો. ઘણા અહેવાલો અનુસાર, કેદીઓએ જેલ અધિકારીઓ પાસેથી હથિયારો છીનવી લીધા હતા, ત્યારબાદ પોલીસ અને કેદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો અને ઘણા કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા. જેલ સુપરિન્ટેન્ડેન્ટ અરશદ હુસૈને પુષ્ટિ કરી હતી કે ગોળીબાર દરમિયાન એક કેદી ઇજાગ્રસ્ત થઈ ગયો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ, કરાચીની લાંધી જેલમાંથી ભાગી ગયેલા કેદીઓની શોધ માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં ચોકીઓ બનાવી છે અને શોધખોળ ચાલુ છે. પોલીસે કઝાફી ટાઉન, શાહ લતીફ અને ભૈંસ કોલોની સહિતના વિસ્તારોમાંથી ભાગી ગયેલા 80 કેદીઓને ફરીથી ધરપકડ કરી છે. જેલની બહાર રેન્જર્સ તૈનાત કરવામાં આવ્યા છે અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.


કરાચીમાં ભૂકંપના ઝટકા

કરાચીમાં ભૂકંપના ઝટકા

આ ઘટના કરાચીમાં 24 કલાકમાં દસમા ભૂકંપ સાથે બની હતી, જેની તીવ્રતા 2.4ની તીવ્રતા હતી, જે રાત્રે 11:16 વાગ્યે લાંધી, શેરપાઓ અને કાયદાબાદ જેવા વિસ્તારોમાં નોંધાઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કીર્થર ફોલ્ટ લાઇનની નજીક હોવાથી આ પ્રદેશમાં નાના ભૂકંપ સામાન્ય વાત છે.

સિંધના જેલ મંત્રી અલી હસન ઝરદારીએ આ ઘટનાની નોંધ લીધી છે અને જેલના મહાનિરીક્ષક અને નાયબ મહાનિરીક્ષક પાસેથી રિપોર્ટ માગ્યો છે. તેમણે વિસ્તારને ઘેરબંધી કરવાનો આદેશ આપ્યો છે અને ભાર મૂક્યો છે કે જે પણ કેદી ભાગી જાય છે તેને પકડવો જોઈએ. તપાસમાં ખબર પડશે કે શું કોઈ અધિકારીએ સમગ્ર મામલે બેદરકારી દાખવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top