'કુંભ મેળામાં પણ મરેલા 50-60 લોકો..', RCBની વિક્ટ્રી પરેડમાં ભાગદોડ પર આ શું બોલ્યા સિદ્ધારમૈયા

'કુંભ મેળામાં પણ મરેલા 50-60 લોકો..', RCBની વિક્ટ્રી પરેડમાં ભાગદોડ પર આ શું બોલ્યા સિદ્ધારમૈયા, કોને ઠેરવ્યા જવાબદાર?

06/05/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

'કુંભ મેળામાં પણ મરેલા 50-60 લોકો..', RCBની વિક્ટ્રી પરેડમાં ભાગદોડ પર આ શું બોલ્યા સિદ્ધારમૈયા

Bengaluru Stampede: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીતની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ મામલાની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે અને 15 દિવસમાં રિપોર્ટ માગ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડની સરખામણી મહાકુંભમાં થયેલી ભાગદોડ સાથે કરી દીધી.


કુંભ મેળામાં પણ મર્યા હતા 50-60 લોકો

કુંભ મેળામાં પણ મર્યા હતા 50-60 લોકો

તેમણે કહ્યું કે, 'આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બની. કુંભ મેળામાં પણ 50-60 લોકો મરી ગયા. મેં ટીકા કરી નથી. જો કોંગ્રેસ ટીકા કરે છે તો તે અલગ બાબત છે. શું મેં કે કર્ણાટક સરકારે ટીકા કરી? નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને ગૃહમંત્રી જી પરમેશ્વર પણ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે હાજર હતા. ભાગદોડમાં 11 લોકો માર્યા ગયા છે અને 33 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે. આ દુર્ઘટના થવી જોઈતી નહોતી. સરકાર આ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કરે છે. સરકારે મૃતકો માટે 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. ઇજાગ્રસ્તોને સરકાર મફત સારવાર આપશે.

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, 'હું આ ઘટનાનો બચાવ કરવા માગતો નથી. અમારી સરકાર આના પર રાજકારણ નહીં કરે. મેં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે અને 15 દિવસનો સમય આપ્યો છે. લોકોએ સ્ટેડિયમના દરવાજા પણ તોડી નાખ્યા અને ભાગદોડ મચી ગઈ. કોઈને આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી. સ્ટેડિયમમાં માત્ર 35,000 લોકોની ક્ષમતા છે, પરંતુ 2-3 લાખ લોકો આવ્યા હતા.'


પ્રેમ અને સ્નેહ કરતા વધુ મહત્ત્વપૂર્ણ છે જીવન

પ્રેમ અને સ્નેહ કરતા વધુ મહત્ત્વપૂર્ણ છે જીવન

તેમણે કહ્યું કે, બેંગ્લોર શહેરમાં ઉપલબ્ધ સમગ્ર પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ આજ પોલીસકર્મીઓ સુરક્ષા ફરજ બજાવી રહ્યા હતા અને આ વખતે પણ તેમને આજ જવાબદારી સોંપવામાં આવી છે. આ દુર્ઘટના ન બનવી જોઈતી હતી. અમે પીડિત લોકો સાથે ઉભા છીએ. હું જનતાને અપીલ કરું છું કે તેઓ સમજે કે જીવન પ્રેમ અને સ્નેહ કરતા વધુ મહત્ત્વપૂર્ણ છે અને સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપે.

પોલીસને ભીડને નિયંત્રિત કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો, કારણ કે એક જ સમયે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બેંગ્લોર પોલીસે ટ્રાફિક સલાહ આપી હતી કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં માત્ર માન્ય ટિકિટ અને પાસ ધારકોને જ પ્રવેશ આપવામાં આવશે. પોલીસે આ સલાહમાં કહ્યું હતું કે, ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક મર્યાદિત પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે, એટલે કાર્યક્રમમાં ભાગ લેનારાઓને જાહેર પરિવહન અને મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top