Rudraprayag Bus Accident: અલકનંદા નદીમાં પડી મુસાફરોથી ભરેલી બસ, બદ્રીનાથ હાઇવે પર થયો અકસ્માત
Rudraprayag Bus Accident News: ઉત્તરાખંડ રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર ઘોલતીરમાં ગોઝારા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, એક બ અલકનંદા નંદીમાં પડી ગઈ, જેના કારણે આ મોટો અકસ્માત થયો છે, ઘટનાસ્થળ પર બચાવ અભિયાન શરૂ કરવા માટે રેસ્ક્યૂં ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બસમાં 18 લોકો સવાર હતા, જેમાંથી 7 લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે, જ્યારે અત્યારે પણ 11 લોકો ગુમ છે. જેમને શોધવા માટે શક્ય તેટલા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
એજન્સીના જણાવ્યા મુજબ, પોલીસ મુખ્યાલયના પ્રવક્તા IG નિલેષ આનંદ ભરણેએ જણાવ્યું કે, રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલતીર વિસ્તારમાં એક બસ અનિયંત્રિત થઈને અલકનંદા નદીમાં પડી ગઈ. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર બસમાં 18 લોકો સવાર હતા. ગઢવાલના મંડળ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું કે, રુદ્ર પ્રયાગ જિલ્લાના ઘોલતીરમાં 18 સીટર બસ અલકનંદા નદીમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે, બચાવ અભિયાન માટે SDRF, પોલીસ અને પ્રશાસનની ટીમ ઉપસ્થિત છે.
છેલ્લા કેટલાક દિવસોથી કેદારનાથ અને રુદ્રપ્રયાગના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અલકનંદા નંદીમાં પાણીનો પ્રવાહ પણ તેજ છે. એવામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બસ પાણીમાં પડી જવાથી ઘણા મુસાફરો તેના તેજ પ્રવાહમાં તણાઈ ગયા છે. પ્રશાસન હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન કરી રહ્યું છે. આ અકસ્માતમાં અત્યાર સુધી એક વ્યક્તિના મોતના સમાચાર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp