‘ઓપરેશન સિંદૂર દરમિયાન ડોગ ફાઇટમાં તોડી પડાયા હતા પાકિસ્તાનના ફાઇટર જેટ! ભારત ટૂંક સમયમાં આપશે પુરાવા
ઓપરેશન સિંદૂર દરમિયાન 6-7 મેના રોજ, ભારતીય વાયુસેનાએ ડોગ-ફાઇટ દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર જેટને તોડી પાડ્યા હતા. ટૂંક સમયમાં ભારત પાકિસ્તાનના તોડી પાડવામાં આવેલા ફાઇટર જેટના નક્કર પુરાવા સાથે ખુલાસો કરશે. ABP ન્યૂઝના રિપોર્ટ મુજબ, દેશના રક્ષા અને સુરક્ષા સાથે જોડાયેલા ટોચના સૂત્રોએ પોતે આ માહિતી શેર કરી છે.
6-7 મેના રોજ, જ્યારે ભારતીય વાયુસેનાના રાફેલ અને સુખોઈ વિમાનોએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને તબાહ કર્યા હતા, ત્યારે પાકિસ્તાની વાયુસેનાએ પોતાના JF-17, J-10 અને મિરાજ ફાઇટર જેટથી હુમલાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને થયેલા નુકસાનના સંબંધમાં ભારત ટૂંક સમયમાં જાણકારી સાથે પુરાવા રજૂ કરશે.
પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે જવાબી કાર્યવાહી કરતાં 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજાવાળા કાશ્મીર (PoK)માં સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારત સરકારે આ વાતની પુષ્ટિ કરી. આ હુમલા બાદ પાકિસ્તાન બોખલાઈ ગયું અને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા સરહદ પારથી ગોળીબાર કરવા લાગ્યું. જવાબમાં, ભારતે હુમલો વધુ તીવ્ર બનાવ્યો અને પાકિસ્તાનના ઘણા એરબેઝ પર હુમલો કરીને માઠી રીતે બર્બાદ કરી દીધા. તેમાં નૂર ખાન એરબેઝનો સમાવેશ થાય છે, જેને પાકિસ્તાની એરફોર્સ (PAF)ની કરોડરજ્જુ માનવામાં આવે છે. આ ઉપરાંત, સુક્કુર એરબેઝ, ચુનિયા એરબેઝ, રફીકી એરબેઝ અને રહીમ યાર ખાન એરબેઝનો પણ સમાવેશ થાય છે.
ભારતીય સેનાએ પુરાવા તરીકે ઘણી સેટેલાઇટ ઇમેજ પણ રજૂ કરી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય સેનાએ પડોશી દેશ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું હતું. ઓપરેશન સિંદૂર દરમિયાન, સેનાએ પાકિસ્તાની એર ડિફેન્સ HQ-9ને પણ નષ્ટ કરી દીધી, જે પાકિસ્તાને ચીન પાસેથી ખરીદી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp