SCO Summit: SCOમાં કઈ વાતથી નારાજ થયું ભારત? જોઇન્ટ સ્ટેટમેન્ટમાં સહી કરવાનો કર્યો ઇનકાર, મોઢું જોતા રહી ગયા ખ્વાજા આસિફ અને રાજનાથ મળ્યા પણ નહીં
06/26/2025
World
No Shanghai meet joint statement as Rajnath Singh refuses to sign document: ચીનના કિંગદાઓમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે હાજરી આપી હતી. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લશ્કરી ગતિરોધ બાદ સંબંધોમાં આવેલા ખટાસ બાદ રક્ષા મંત્રીની આ પહેલી ચીન મુલાકાત છે. આ દરમિયાન રાજનાથ સિંહે આતંકવાદ, સુરક્ષા અને શાંતિ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી. આ બેઠકમાં પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફ પણ હાજર હતા, જેમની સામે રાજનાથ સિંહે આતંકવાદ પર જોરદાર પ્રહારો કર્યા.
જોઇન્ટ નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર
બેઠક દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે આતંકવાદ અને પહેલગામ પર ભારતનું વલણ મજબૂતીથી રજૂ કર્યું. પરિણામ એ આવ્યું કે બેઠક બાદ કોઈ સંયુક્ત નિવેદન કે પ્રોટોકોલ જાહેર કરી શકાયું નહીં. પાકિસ્તાન અને ચીન આતંકવાદ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ રક્ષા મંત્રીએ જોઇન્ટ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો, જેનાથી ભારતનું વલણ નબળું પડ્યું હોત. આ બેઠકમાં રાજનાથ સિંહ અને પાકિસ્તાની રક્ષા પ્રધાન વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી. રાજનાથ સિંહે પાડોશી દેશ પાકિસ્તાનને અરીસો બતાવતા કહ્યું કે, શાંતિ અને સમૃદ્ધિ નોન સ્ટેટ પ્લેયર્સ અને આતંકવાદી જૂથોના હાથમાં સામૂહિક વિનાશના હથિયારો(WMD)ના પ્રસાર સાથે સહ-અસ્તિત્વમાં નહીં રહી શકે. આ પડકારોનો સામનો કરવા માટે નિર્ણાયક પગલાં લેવા જરૂરી છે અને આપણે આપણી સામૂહિક સુરક્ષા માટે આ દુષ્ટતાઓ સામે એક થઈને લડવું જોઈએ.
પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર રાજનાથ સિંહે કહ્યું કે, ‘એ જરૂરી છે કે જે લોકો આતંકવાદને પ્રયોજિત, પોષે છે અને પોતાના લાલચી ઉદ્દેસહયો માટે ઉપયોગ કરે છે તેમને પરિણામો ભોગાવવા પડશે. કેટલાક દેશો સરહદ પારના આતંકવાદનો નીતિગત સાધન તરીકે ઉપયોગ કરે છે અને આતંકવાદીઓને આશ્રય આપે છે. આવા બેવડા ધોરણો માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. SCOએ આવા દેશોની ટીકા કરતા ખચકાવું ન જોઈએ.
પહલગામ આતંકવાદી હુમલા પર રાજનાથ સિંહે કહ્યું કે, ‘22 એપ્રિલ 2025ના રોજ, આતંકવાદી જૂથ ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)એ ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યનાહેપહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર એક જઘન્ય હુમલો કર્યો હતો. તેમાં, એક નેપાળી નાગરિક સહિત 26 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. ધાર્મિક ઓળખના આધારે પીડિતોની પ્રોફાઇલ બનાવીને ગોળી મારવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT)ના પ્રતિનિધિ, રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.’
ઓપરેશન સિંદૂરની કરી પ્રશંસા
રાજનાથ સિંહે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાની પેટર્ન ભારતમાં લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવેલા અગાઉના આતંકવાદી હુમલાઓ સાથે મેળ ખાય છે. આતંકવાદને રોકવા અને સરહદ પાર આતંકવાદી હુમલાઓને રોકવાના પોતાના અધિકારનો ઉપયોગ કરીને ભારતે 7 મે, 2025ના રોજ સરહદ પાર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક લોન્ચ કર્યું.
રાજનાથએ કહ્યું કે, અમે સરહદ પાર આતંકવાદ સહિત આતંકવાદના નિંદનીય કૃત્યોના ગુનેગારો, આયોજકો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા અને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ. આતંકવાદનું કોઈપણ કૃત્ય ગુનાહિત અને ખોટું છે, ભલે તેનો હેતુ ગમે તે હોય, ગમે ત્યારે, ગમે ત્યાં અને કોઈ પણ દ્વારા કરવામાં આવ્યું હોય. આ દુષ્ટતાની સખત શબ્દોમાં અને ખુલ્લેઆમ નિંદા થવી જોઈએ.
રક્ષામંત્રીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ ભારતઆની ઝીરો ટોલરેન્સ પોલિસી આજે તેમના કામોથી સ્પષ્ટ ઝળકે છે. તેમાં આતંકવાદ વિરુદ્ધ આત્મરક્ષા કરવાનો અમારો અધિકાર પણ સામેલ છે. અમે જોયું છે કે આતંકવાદના મુખ્ય કેન્દ્ર જવે સુરક્ષિત નથી અને અમે તેમને નિશાન બનાવવામાં ક્યારેય સંકોચ નહીં અનુભવીએ.
પ્રાદેશિક સ્થિરતા પર ભાર
વૈશ્વિક એકતાનો સંદેશા આપતા તેમણે કહ્યું કે, કોઈ પણ દેશા, પછી ભલે તે ગમે તેટલો મોટો અને શક્તિશાળી કેમ ન હોય, એકલો કામ નહીં કરી શકે. વૈશ્વિક વ્યવસ્થા અથવા બહુપક્ષીયતાનોમૂળ વિચાર એ ધારણા છે કે રાષ્ટ્રોને પોતાના પારસ્પરિક અને સામૂહિક લાભ માટે એક-બીજા સાથે મળીને કામ કરવું જોઇયે. એ અમારી સદીઓ જૂની સંસ્કૃત કહેવત ‘સર્વે જાણ સુખીનો ભવન્તુ’ને પણ દર્શાવે છે, જેનો અર્થ બધા માટે શાંતિ અને સમૃદ્ધિ.
પ્રાદેશિક સ્થિરતા પર ભાર મૂકતા રક્ષા મંત્રીએ કહ્યું કે, ‘ભારત મધ્ય એશિયા સાથે તેની કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે. સારી કનેક્ટિવિટી માત્ર પરસ્પર વેપાર જ નહીં પરંતુ પરસ્પર વિશ્વાસ પણ વધારે છે. જો કે, આ પ્રયાસોમાં SCO ચાર્ટરના મૂળભૂત સિદ્ધાંતો જાળવી રાખવા જરૂરી છે, ખાસ કરીને સભ્ય દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો સન્માન કરવાનું સામેલ છે.
રાજનાથે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાના સમર્થનમાં પોતાની નીતિમાં સતત અને મજબૂત રહ્યું છે. અફઘાનિસ્તાનમાં અમારી તાત્કાલિક પ્રાથમિકતાઓમાં અફઘાન લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવી અને અફઘાનિસ્તાનના એકંદર વિકાસમાં યોગદાન આપવાનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનના સૌથી મોટા પ્રાદેશિક વિકાસ ભાગીદાર તરીકે, ભારત અફઘાન લોકો માટે ક્ષમતા નિર્માણ પહેલ અમલમાં મૂકવાનું ચાલુ રાખે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp