એર ઇન્ડિયાના વિમાનને બોમ્બની ધમકી, 156 મુસાફરોની જિંદગી પર આવી ગયું જોખમ; કરાવાઇ ઈમરજન્સી લેન્ડિંગ
ગઇકાલે અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ ગયું, જેમાં 297 લોકોની જિંદગી હોમાઈ ગઈ. આ અકસ્માતે રાજ્ય સહિત આખા દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્લેન ક્રેશ થવાનું કારણ હજી સામે આવ્યું નથી, એર ઈન્ડિયા વિમાનના ક્રેશ વિમાનનું બ્લેક બોક્સ અને વોઇસ રેકોર્ડર મળી આવ્યું છે. આ બ્લેક બોક્સથી આ ખુલાસો થઈ જશે કે ટેકઓફના તુરંત બાદ આટલો મોટો અકસ્માત કેવી રીતે થઈ ગયો. પરંતુ આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે એર ઇન્ડિયાના એક વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
થાઈલેન્ડના ફુકેટમાં એર ઈન્ડિયાના એક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. આ ફ્લાઈટ ફુકેટથી નવી દિલ્હી આવી રહી હતી, પરંતુ શુક્રવારે બોમ્બની ધમકી બાદ તેનું ઈમરજન્સી લેન્ડિં કરાવવું પડ્યું. રોઈટર્સના અહેવાલ મુજબ, એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 379 ફુકેટથી નવી દિલ્હી માટે રવાના થઈ હતી. તેમાં 156 મુસાફરો સવાર હતા, પરંતુ ફ્લાઈટ ઉડાણ ભર્યા બાદ બોમ્બની ધમકી મળી હતી. ત્યારબાદ, ફ્લાઈટ આંદામાન સમુદ્રની ચારેય તરફ ચક્કર લગાવ્યા બાદ પરત ફરી અને ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. AOT દ્વારા હજુ સુધી બોમ્બની ધમકીની પુષ્ટિ કરવામાં આવી નથી. ફુકેટ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈમરજન્સી લેન્ડિંગ બાદ, મુસાફરોને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બધા સુરક્ષિત છે.
ગુરુવારે અમદાવાદમાં 242 લોકો સાથે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 297 લોકોના મોત થયા. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સાથે પણ મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશ પાસેથી પ્રત્યક્ષદર્શીનું નિવેદન લીધું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp