પાકિસ્તાની PM શાહબાજનું મોટું કબૂલનામું- ‘નમાજ બાદ ભારત પર એટેક કરવાનો પ્લાન હતો, પરંતુ..’
હવે, પાકિસ્તાનના નેતાઓ પોતે જ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે તબાહી મચાવી હોવાનું સ્વીકારવા લાગ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વીકાર્યું છે કે, તેઓ ભારત પર હુમલો કરે તે અગાઉ જ ભારતે હુમલો કરી દીધો. બુધવારની સાંજે અઝરબૈજાનના લાચીનમાં યોજાયેલી ત્રિપક્ષીય પરિષદ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતની તાકત સ્વીકારી. તેમણે કહ્યું કે અમે 9-10 મેના રોજ હુમલો કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને સવારની નમાઝ બાદ ભારત પર હુમલો કરવાની યોજના બનાવી હતી. પરંતુ તે અગાઉ જ ભારતે બ્રહ્મોસ મિસાઇલોથી પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરી દીધો.
શરીફનું કબૂલનામું અઝરબૈજાનના સ્વતંત્રતા દિવસના અવસર આવ્યું હતી, જ્યાં પાકિસ્તાની સેનાના નવા ‘ફેઇલ્ડ માર્શલ’ અસીમ મુનીર પણ તેમની સાથે હાજર હતા. પોતાના ભાષણમાં શરીફે કહ્યું કે, 'અમારી સેના સવારે 4:30 વાગ્યે ફજર બાદ ભારત પર જવાબી હુમલો કરવા તૈયાર હતી, પરંતુ તે અગાઉ ભારતે નૂર ખાન (રાવલપિંડી) અને મુરીદકે (ચકવાલ) સ્થિત અમારા ઠેકાણાઓ પર બ્રહ્મોસ મિસાઇલોથી હુમલો કરી દીધો.' આ મોટા ખુલાસા બાદ, શરીફે અસીમ મુનીરને ઉભા કર્યા અને સભામાં તેનો ઔપચારિક પરિચય કરાવ્યો.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે તે રાતની ઘટના યાદ કરી જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણાઓ અને પછી પાકિસ્તાની એરબેઝ પર હુમલો કર્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ, પાકિસ્તાન આખી દુનિયામાં પ્રોપગેન્ડા ફેલાવી રહ્યું છે કે તેને આ ટકરાવમાં લીડ મળી છે. પરંતુ પાકિસ્તાનીઓ ક્યારેય તેમના દાવાઓ માટે કોઈ પુરાવા રજૂ કરતા નથી. ભારતીય વિમાનોને તોડી પાડવાનો દાવો કરનારા શાહબાઝ શરીફે એક પણ પુરાવો આપ્યો નથી. તો, ભારત દ્વારા પાકિસ્તાનના એરબેઝ પર મિસાઇલોથી કરાયેલી તબાહીની ધમક આખી દુનિયામાં સંભળાઈ રહી છે. સ્વતંત્ર સ્ત્રોતો પણ સેટેલાઇટ તસવીરો દ્વારા જણાવી રહ્યા છે કે પાકિસ્તાનને કેટલું નુકસાન થયું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp