Emergency 50th Anniversary: ઇમરજન્સીમાં લોકતંત્રની હત્યા થઈ, કેબિનેટમાં પ્રસ્તાવ પાસ, PM અને મંત્રીઓનું 2 મિનિટનું મૌન
Union Cabinet On Emergency: ઇમરજન્સીની 50મી વર્ષગાંઠના અવસર પર કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મંગળવારે એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રસ્તાવમાં વર્ષ 1975માં લાગેલી ઇમરજન્સીને ‘લોકતંત્રની હત્યા’ ગણાવવામાં આવી અને તેની સખત નિંદા કરવામાં આવી. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે કેબિનેટ બ્રીફિંગમાં જાણકારી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં વર્ષ 1975માં લગાવવામાં આવેલી ઇમરજન્સીની સખત નિંદા કરતા એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. વર્ષ 2025માં ઇમરજન્સીની 50મી વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો, જેમાં લોકતંત્રની રક્ષા અને સંવિધાનના મૂલ્યોનું પુનરાવર્તન કરવામાં આવ્યું.
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, ઈમરજન્સી અગાઉ અને ઈમરજન્સી દરમિયાન દેશભરમાં લોકતાંત્રિક મૂલ્યોનું હનન થયું, નાગરિકોના મૌલિક અધિકારો છીનવી લેવામાં આવ્યા અને ઘણા નિર્દોષ લોકોને અત્યાચારોનો સામનો કરવો પડ્યો. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બધા કેન્દ્રિય મંત્રીઓએ ઇમરજન્સીના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના સન્માનમાં 2 મિનિટનું મૌન રાખવામા આવ્યું. બધા મંત્રી ઊભા થઈને મૌનમાં સામેલ થયા.
#WATCH | Delhi | Union Minister Ashwini Vaishnaw reads out the resolution passed on 50 years of the Emergency, he reads, "... The Union Cabinet, chaired by PM Modi, resolved to commemorate and honour the sacrifices of countless individuals who valiantly resisted the Emergency and… pic.twitter.com/XiFEWljmfz — ANI (@ANI) June 25, 2025
#WATCH | Delhi | Union Minister Ashwini Vaishnaw reads out the resolution passed on 50 years of the Emergency, he reads, "... The Union Cabinet, chaired by PM Modi, resolved to commemorate and honour the sacrifices of countless individuals who valiantly resisted the Emergency and… pic.twitter.com/XiFEWljmfz
કેબિનેટ મીટિંગમાં દાવો કરવામાં આવ્યો કે, ઈમરજન્સી દરમિયાન માનવીય સ્વતંત્રતા અને ગરિમાને પણ ખતમ કરી દેવામાં આવી. કેબિનેટ મીટિંગમાં આપવામાં આવેલા એક નિવેદનમાં ઇમરજન્સીનો વિરોધ કરનારાઓને લોકતંત્ર સેનાની કહેવામાં આવ્યા અને કેબિનેટે વરિષ્ઠ નાગરિકો સાથે-સાથે યુવાઓને પણ આ લોકતંત્ર સેનાનીઓ પાસેથી શીખવાની અપીલ કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ વીરોએ તાનાશાહી પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો અને આપણાં સંવિધાન અને લોકતંત્રની ભાવનાની દૃઢતાથી રક્ષા કરી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp