Rudraprayag Bus Accident: જે બસ અકસ્માતનો ભોગ બનીને અલકનંદા નદીમાં ખાબકી, તેમાં સુરતના 9 લોકો હ

Rudraprayag Bus Accident: જે બસ અકસ્માતનો ભોગ બનીને અલકનંદા નદીમાં ખાબકી, તેમાં સુરતના 9 લોકો હતા સવાર

06/26/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Rudraprayag Bus Accident: જે બસ અકસ્માતનો ભોગ બનીને અલકનંદા નદીમાં ખાબકી, તેમાં સુરતના 9 લોકો હ

Rudraprayag Bus Accident News: આજે સવારે જ એવા સમાચાર સામે આવ્યા હતા કે ઉત્તરાખંડ રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર ઘોલતીર પાસે અલકનંદા નદીમાં એક બસ ખાબકી હતી. આ બસમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના 20 લોકો સવાર હતા, જેમાંથી 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે, તો 9 લોકો હજી ગુમ છે. તો  3 લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં એક ગુજરાતી પણ સામેલ છે, જો કે, પ્રશાસને અત્યાર સુધી મૃતકોની લિસ્ટ જાહેર કરી નથી. આ બસમાં સુરતના સિલિકોન પેલેસમાં રહેતા અને વિધાતા જ્વેલર્સના માલિક ઈશ્વર સોની, તેની પત્ની ભાવના સોની, 17 વર્ષીય દીકરી ડ્રીમી સોની, દીકરો ભવ્ય સોની અને દીકરી ચેષ્ટા સોની પણ હતા, જેમાંથી ડ્રીમીનું મોત થઈ ગયું છે.


સોની પરિવારે ઉદયપુર ટ્રાવેલ્સ બસ બુક કરી હતી

સોની પરિવારે ઉદયપુર ટ્રાવેલ્સ બસ બુક કરી હતી

તેઓ ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ સહિતના ધાર્મિક સ્થળો પર યાત્રા કરવા માટે ગયા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સોની પરિવારે ઉત્તરાખંડ જવા ઉદયપુરથી ટ્રાવેલ્સ બસ બુક કરાવી હતી. તેઓ સુરતથી લગભગ 16 કે 17 જૂને ઉદયપુર જવા નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ ઉદયપુરથી ઉત્તરાખંડના પ્રવાસે ગયા હતા.

સુરતના પર્વત પાટિયા ખાતે રહેતા આ સોની પરિવારને ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં અકસ્માત નડતા સગા-સંબંધીઓ અને પાડોશીઓમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. આ સિવાય બસમાં ભાવનાબેન સોનીના ભાઈ લલિતભાઈ, ભાભી હેમાબેન અને તેમની 2 દીકરીઓ પણ હતી. તેમના અન્ય 2 બાળકો પુત્ર રાજન અને પુત્રી દિયા હાલમાં સુરતમાં જ છે.


SDRFના જવાન હજી પણ ગુમ થયેલા લોકોની કરી રહ્યા છે શોધખોળ

SDRFના જવાન હજી પણ ગુમ થયેલા લોકોની કરી રહ્યા છે શોધખોળ

મળતી માહિતી મુજબ, ટ્રક સાથે અથડાવાને કારણે કેટલાક લોકો ટ્રાવેલ્સમાંથી બહાર નીકળીને ટેકરી પર ફસાઈ ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા છે. અન્ય લોકોની પણ શોધખોળ ચાલી રહી છે. SDRF, NDRF સાથે-સાથે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે ઉપસ્થિત છે.

SDRFના જવાનો શ્રીનગર, ગઢવાલમાં બંધ નજીક શોધખોળ કામગીરી ચલાવી રહ્યા છે, જે રુદ્રપ્રયાગ બસ અકસ્માત સ્થળથી 40 કિમી દૂર છે, જેથી તે બસમાં સવાર મુસાફરોને શોધી શકાય, જેઓ તીવ્ર પ્રવાહને કારણે નદીમાં તણાઈ ગયા હોવાની શક્યતા છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવ વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે અમે 8 લોકોને બચાવવામાં સફળ રહ્યા છીએ. અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયાં છે, બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top