PM મોદીએ કર્યું ચિનાબ બ્રિજનું ઉદ્વઘાટન, તિરંગો હાથમાં લઈને લહેરાવ્યો; ચીન-પાકિસ્તાનને મોટો મેસ

PM મોદીએ કર્યું ચિનાબ બ્રિજનું ઉદ્વઘાટન, તિરંગો હાથમાં લઈને લહેરાવ્યો; ચીન-પાકિસ્તાનને મોટો મેસેજ

06/06/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

PM મોદીએ કર્યું ચિનાબ બ્રિજનું ઉદ્વઘાટન, તિરંગો હાથમાં લઈને લહેરાવ્યો; ચીન-પાકિસ્તાનને મોટો મેસ

PM Inaugurates Landmark Chenab Bridge: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે, જ્યાં તેમણે ચિનાબ બ્રિજ અને અંજની બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી. ચિનાબ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન બ્રિજ, કાશ્મીર ખીણને સમગ્ર ભારતમાં સાથે દરેક વાતાવરણમાં રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર મુસાફરીનો સમય ઘટાડશે. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાનની આ પહેલી કાશ્મીર મુલાકાત છે. તેઓ અહીં 46 હજાર કરોડના પ્રોજેક્ટ ભેટ આપવા પહોંચ્યા છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

આ પહેલથી કનેક્ટિવિટીમાં સુધારો થશે અને કહેવામાં આવ્યું હતું કે, 'દિલની દૂરી અને દિલ્હીની દૂરી ઓછી થશે’. ચિનાબ બ્રિજ અને અંજની બ્રિજનું ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જેના હેઠળ આ બ્રિજ કાશ્મીર ખીણને બાકીના ભારત સાથે જોડશે, મુસાફરીનો સમય લગભગ 3 કલાક ઘટાડશે અને પ્રદેશમાં વેપાર અને પર્યટનને વેગ આપશે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

વડાપ્રધાન મોદીએ ભારતના પ્રથમ કેબલ રેલ બ્રિજ અંજી ખાડ બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું. આ 473 મીટર લાંબો બ્રિજ છે, જે કેબલથી બનેલો છે. બ્રિજના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદી તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા. ત્યારબાદ તેઓ બ્રિજ પરથી રવાના થઈ ગયા. વડાપ્રધાને ચિનાબ બ્રિજ પરથી તિરંગો લહેરાવીને ચીન અને પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો. આ દરમિયાન તેમની સાથે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા.


PM મોદીએ USBRL પ્રદર્શનીમાં ઓમર અબ્દુલ્લા અને રેલવે મંત્રી સાથે વાતચીત કરી

PM મોદીએ USBRL પ્રદર્શનીમાં ઓમર અબ્દુલ્લા અને રેલવે મંત્રી સાથે વાતચીત કરી

PM મોદી USBRL (ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક) પ્રોજેક્ટ પર એક પ્રદર્શની (એક્ઝિબિશન)ની મુલાકાત દરમિયાન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ સાથે વાત કરતા જોવા મળ્યા. તેમણે પ્રોજેક્ટ પર કામ કરતા લોકો સાથે પણ વાતચીત કરી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top