Video: અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા બાદ એર ઇન્ડિયાના કર્મચારીઓ શાની પાર્ટી કરી રહ્યા હતા? ઓફિસમાં જ DJ પાર્ટી કરતા જોવા મળ્યા કર્મચારી
Ahmedabad Plane Crash: 12 જુલાઈએ અમદાવાદનાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા રવાના થયેલું વિમાન ઉડાણ ભર્યા બાદ થોડી જ સેકંડમાં ક્રેશ થઈ ગયું; જેમાં સવાર 242 મુસાફરોમાથી માત્ર એક જ વ્યક્તિ બચી શક્યો હતો જ્યારે પાયલટ અને ક્રૂ મેમ્બર સહિત વિમાનમાં સવાર 241 લોકોના મોત થઈ ગયા હતા. આ સિવાય રેસિડેન્શિયલ વિસ્તારમાં પ્લેન ક્રેશ થવાને કારણે જમીન પર રહેલા વ્યક્તિઓ પણ તેની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે 270 લોકોએ જીવ ગુમાવ્યા.
આ પ્લેન ક્રેશ અકસ્માતમાં ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ ગુમાવ્યા છે. આ અકસ્માતના થોડા જ દિવસો બાદ એર ઈન્ડિયાના કર્મચારીઓ ઓફિસમાં DJ પાર્ટી કરી રહ્યા હતા. આ લોકો શાની ઉજવણી કરી રહ્યા હતા આટલી મોટી વિમાન દુર્ઘટના થઈ તે માટે કે પછી એર ઈન્ડિયાના વિમાનોમાં વારંવાર ખામી આવી રહી છે તે માટે ઉજવણી કરી રહ્યા હતા? આટલી મોટી વિમાન દુર્ઘટના બાદ એજ કંપનીના કર્મચારીઓ શાની ખુશીમાં ઉછળકૂદ કરતા હતા? જવાબદાર અને મોટી કંપનીના કર્મચારીઓ તરીકે તેમને આવું વર્તન ક્યારેય નહીં શોભે? શું ઓફિસના મોટા અધિકારીઓએ પણ આ લોકોને આમ કરતા ન રોક્યા?
અમદાવાદમાં AI 171 વિમાન દુર્ઘટનાના થોડા દિવસો બાદ, AISATSના કર્મચારીઓ પાર્ટી કરવાનો એક વીડિયો વાયરલ થયો છે. AISATS એ એર ઇન્ડિયા અને SATS લિમિટેડ વચ્ચેનું 50-50 જોઈન્ટ વેન્ચર છે, જે ગેટવે સેવાઓ અને ફૂડ સોલ્યૂશન્સના અગ્રણી પ્રોવાઈડ છે. જેની ખૂબ નિંદા થઈ રહી છે, ત્યારબાદ કંપનીએ દુ:ખ વ્યક્ત કરતા 4 સીનિયર કર્મચારીઓની હાંકલપટ્ટી કરી છે. એર ઇન્ડિયા સાથે જોડાયેલી ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ (AISATS)એ 4 સીનિયર અધિકારીઓની હાંકલપટ્ટી કરી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના થોડા દિવસો બાદ, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કર્મચારીઓ ઓફિસ પાર્ટીમાં ગીત ગાતા અને ડાન્સ કરતા દેખાયા હતા. લાજ-શરમ નેવે મુકી નાચતા કર્મચારીઓનો વીડિયો વાયરલ થયો છે.
It has only been a few days since the tragic Ahmedabad plane crash. Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over. Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD — Squint Neon (@TheSquind) June 22, 2025
It has only been a few days since the tragic Ahmedabad plane crash. Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over. Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD
AISATSએ જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘આ વર્તન અમારી કંપનીના મૂલ્યોની વિરુદ્ધ છે. અમે જવાબદારો લોકો સામે કડક શિસ્તભંગના પગલાં લીધા છે અને બાકીના કર્મચારીઓને વોર્નિંગ આપી છે. અમે પીડિત પરિવારો સાથે ઉભા છીએ અને આ ઘટના બદલ ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ. અમે પ્રોફેશનાલિઝ્મ અને જવાબદારી પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp