કોંગ્રેસે ટ્રોલ કર્યા તો શશિ થરૂરે આપ્યો દીધો જવાબ, બોલ્યા- ‘મારી તરફથી એ કટ્ટરપંથીઓ માટે એક સંદેશ છે, જે..’
ભારત સરકારે ઓપરેશન સિંદૂરની સફળતા અને પાકિસ્તાનના ચહેરા પરથી આતંકવાદનો નકાબ દૂર કરવા માટે વિશ્વના ઘણા દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યું છે. કોંગ્રેસના નેતા શશિ થરૂર પણ તેનો ભાગ છે. આ દરમિયાન, તેમણે પનામામાં એક બહુપક્ષીય પ્રતિનિધિમંડળ કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે ભાજપ સરકાર હેઠળ પહેલીવાર સરહદ પાર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. તેઓ આ અંગે વિવાદોમાં ફસાઈ ગયા હતા. આ કારણે, કોંગ્રેસ હાઈકમાન્ડ ખૂબ ખૂબ નારાજ થઈ ગયું હતું. હવે તેમણે આ મુદ્દે નિવેદન આપ્યું છે.
શશિ થરૂરે X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરીને લખ્યું છે કે, મારી પાસે ટીકાકારો માટે સમય નથી. મેં સ્પષ્ટપણે માત્ર આતંકવાદી હુમલાઓના જવાબમાં કરવામાં આવેલી કાર્યવાહીની વાત કરી હતી, યુદ્ધ અથવા આપણા સૈન્ય ઇતિહાસની નહીં. મારી ટિપ્પણીમાં તાજેતરના વર્ષોમાં થયેલા ઘણા હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન ભારતનો પ્રતિક્રિયા સંયમિત રહી છે.
After a long and successful day in Panama, i have to wind up at midnightvhere with departure for Bogota, Colombia in six hours, so I don’t really have time for this — but anyway: For those zealots fulminating about my supposed ignorance of Indian valour across the LoC: in tge… — Shashi Tharoor (@ShashiTharoor) May 29, 2025
After a long and successful day in Panama, i have to wind up at midnightvhere with departure for Bogota, Colombia in six hours, so I don’t really have time for this — but anyway: For those zealots fulminating about my supposed ignorance of Indian valour across the LoC: in tge…
શશિ થરૂરે આગળ લખ્યું છે કે પનામામાં લાંબા અને સફળ દિવસ બાદ, મારે મધ્યરાત્રિએ અહીંથી નીકળીને 6 કલાક બાદ કોલંબિયાના બોગોટા જવાનું છે. એટલે મારી પાસે વાસ્તગવમાં તેના માટે સમય નથી. મારી તરફથી એ કટ્ટરપંથીઓ માટે એક સંદેશ છે, જે નિયંત્રણ રેખા પાર ભારતીય વીરતા બાબતે મારી કથિત વાતગ્ને લઈને ગુસ્સેમાં છે. મારું નિવેદન ભૂતકાળના યુદ્ધો પર નહોતું, પરંતુ તાજેતરના વર્ષોમાં બનેલી ઘટનાઓ પર કેન્દ્રિત હતું. જોકે, હંમેશની જેમ, ટીકાકારો અને ટ્રોલ્સને મારા વિચારો અને શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવાનું સ્વાગત છે. જેમ તેઓ ઉચિત સમજે. મારી પાસે વાસ્તવમાં કરવા માટે ઘણા કામ છે. શુભ રાત્રિ.
પનામામાં એક કાર્યક્રમ દરમિયાન, શશિ થરૂરે વર્ષ 2016ની સર્જિકલ સ્ટ્રાઈક અને વર્ષ 2019 ના બાલાકોટ એર સ્ટ્રાઈકને લઈને એવું નિવેદન આપ્યું હતું, જેનાથી ભાજપના સમર્થકો ન માત્ર ખુશ થયા, પરંતુ કોંગ્રેસની અંદરના મતભેદો પણ ખુલ્લા પડી ગયા. તેમના નિવેદનને લઈને પાર્ટીના એક વરિષ્ઠ નેતા ઉદિત રાજે તેમના પર આકરા પ્રહારો કર્યા અને તેમને ‘ભાજપના સુપર પ્રવક્તા’ ગણાવી દીધા. ઉદિત રાજે પોતાની તીખી પ્રતિક્રિયામાં કહ્યું હતું કે કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ભાજપના સુપર પ્રવક્તા છે. થરૂર એવી વાતો કહી રહ્યા છે જે વાતો ભાજપના નેતાઓ નથી કહેતા.
શશિ થરૂરના નિવેદન બાદ, કોંગ્રેસે સમય બગાડ્યા વિના પ્રતિક્રિયા આપી. કોંગ્રેસે કહ્યું કે UPA સરકાર દરમિયાન 6 સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી, પરંતુ તેનો ક્યારેય પ્રચાર કરવામાં આવ્યો નહોતો. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેદાએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો એક જૂનું ઇન્ટરવ્યુ પોસ્ટ કર્યું, જેમાં તેમણે કહ્યું હતું કે UPA સરકારે પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
પવન ખેડાએ સોશિયલ મીડિયા પર એક તસવીર પણ પોસ્ટ કરી, જેમાં 1965ના યુદ્ધ દરમિયાન લાહોરના બુર્કીમાં કબજે કરાયેલા પાકિસ્તાની પોલીસ સ્ટેશનની બહાર 4 શીખ રેજિમેન્ટના અધિકારીઓ ઉભા જોવા મળે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp