'પૂરી રીતે તૂટી ગયો છું, મારી પાસે...', બેંગ્લોર અકસ્માત પર વિરાટ કોહલીની આવી પ્રતિક્રિયા
Virat Kohli on Chinnaswamy Stadium Stampede: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 18 વર્ષ બાદ IPL ટ્રોફી જીતી છે. આ જીતની ખુશીમાં, બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા. આ દરમિયાન ભાગદોડ મચી ગઇ હતી. આ ભાગદોડને કારણે 11 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
RCBએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, 'આજે બપોરે બેંગ્લોરમાં ટીમની રાહ જોઈ રહેલા લોકોની ભીડ બાબતે મીડિયા રિપોર્ટ્સના મધ્યમથી સામે આવેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓથી અમે ખૂબ જ દુઃખી છીએ. દરેકની સુરક્ષા અને સુખાકારી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. RCB દુ:ખદ મોત પર શોક વ્યક્ત કરે છે અને પ્રભાવિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. પરિસ્થિતિની જાણ થતા જ, અમે તાત્કાલિક પોતાના કાર્યક્રમમાં બદલાવ કર્યો અને સ્થાનિક પ્રશાસનના માર્ગદર્શન અને સલાહનું પાલન કર્યું. અમે પોતાના બધા સમર્થકોને આગ્રહ કરીયે છીએ કે કૃપયા સુરક્ષિત રહો.'
બુધવારે બેંગલુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ પર RCBના અનુભવી ખેલાડી વિરાટ કોહલીની પ્રતિક્રિયા સામે આવી છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે આ ઘટના બાદ હું પૂરી રીતે તૂટી ગયો છું અને મારી પાસે કહેવા માટે કોઈ શબ્દ નથી.
View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)
A post shared by Virat Kohli (@virat.kohli)
કેવી રીતે થયો અકસ્માત?
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર હજારોની સંખ્યામાં RCBના ચાહકો પોતાની ટીમને ચિયર કરવા અને વિજેતા ખેલાડીઓની એક ઝલક જોવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન, ભીડનો મોટો હિસ્સો ત્યાં આવેલી ગટર પર મૂકવામાં આવેલા કામચલાઉ સ્લેબ પર ચઢી ગયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સ્લેબ આટલું ભારે વજન સહન કરી શક્યો નહીં અને અચાનક તૂટી પડ્યો. સ્લેબ તૂટતાની સાથે જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ અને નાસભાગ મચી ગઈ. આ અકસ્માતમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp