HENIPAVIRUS : મહામારીનું નવું સંકટ હેનિપા વાયરસ! વૈજ્ઞાનિકોએ કર્યા સાવચેત

HENIPAVIRUS : મહામારીનું નવું સંકટ હેનિપા વાયરસ! વૈજ્ઞાનિકોએ કર્યા સાવચેત

06/27/2025 World

SidhiKhabar

SidhiKhabar

HENIPAVIRUS : મહામારીનું નવું સંકટ હેનિપા વાયરસ! વૈજ્ઞાનિકોએ કર્યા સાવચેત

HENIPAVIRUS : 2019 - 2020માં વૈશ્વિક મહામારીનું કેન્દ્રબિંદુ એટલે ચીન નું વુહાન શહેર. કોરોનાનું આ એપીસેન્ટર સંભાતા જ આજે પણ લોકોમાં ભય અને તાણની લાગણી ઉદ્ભવે છે. કોરોનાના સપાટામાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતાં. ચીનને લઈને નવા સમાચાર બહાર આવ્યા છે અને આ સમાચાર પણ મહામારી ફેલાવતા નવા એક વાઈરસ ને લગતા છે.

સંશોધન મુજબ આ વાયરસ ચામાચીડિયાની કિડનીમાં જોવા મળ્યો છે જે નિપાહ અને હેન્ડ્રા વાયરસ ને 70 ટકા મળતો આવે છે.દુનિયામાં કોરોના (CORONA) જેવી બીજી મહામારી (PENDEMIC) ફેલાવવાની શક્યતાઓ નજીક આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. ચીની વૈજ્ઞાનિકોએ (CHINESE SCIENTISTS) એક નવો હેનિપાવાયરસ (HENIPAVIRUS) શોધી કાઢ્યો છે. જે મોટાભાગે ચામાચીડિયામાં (BAT) જોવા મળતો આ વાઈરસ અત્યંત ઘાતક છે. ચીની વૈજ્ઞાનિકોએ આ વાયરસ ગ્રસ્ત થવાના કારણે મૃત્યુની 75% શક્યતાની આગાહી કરી છે. જોકે હજુ સુધી હેનિપા વાયરસથી માનવ સંક્રમિત થયાનો કોઈ કેસ જોવા મળ્યો નથી, પરંતુ જો આ ચેપ મનુષ્યોમાં ફેલાય તો તે ખતરનાક અને જીવલેણ સાબિત થઈ શકે છે. ચીની વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં વાયરસની શોધની પુષ્ટિ કરી છે.


હેનિપાવાયરસ કેવી શું છે અને કેવી તે રીતે ફેલાઈ શકે છે ?

હેનિપાવાયરસ કેવી શું છે અને કેવી તે રીતે ફેલાઈ શકે છે ?

સંશોધન મુજબ, હેનિપા વાયરસ જોવા ચામાચીડિયાની કિડનીમાં મળે છે. વાઇરોલોજિસ્ટ ડૉ. વિનોદ બાલાસુબ્રમણ્યમે વાયરસ ફેલાવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરતા  કરી છે કે ચામાચીડિયાની કિડનીમાં હાજર વાયરસ તેના પેશાબમાં પણ હાજર હોઈ શકે છે. આવી  પરીસ્થિતિમાં ચામાચીડિયાના પેશાબ દ્વારા આ વાયરસ ફેલાઈ શકે છે. ચામાચીડિયા બગીચાઓ અને ખેતરોમાં રહેતા હોય છે તથા તેઓ ફળો, શાકભાજી, પાક અને પાણી પર પેશાબ કરી શકે છે. આ પ્રમાણે દુષિત થયેલા ફળો તથા શાકભાજીનું સેવન કરવાથી તેમજ દૂષિત પાણી પીવાથી આ વાયરસનો ભોગ બની શકાય છે.

હેનીપા વાયરસની વાત કેવી રીતે છતી થઇ?

સંશોધકોએ PLOS પેથોજેન્સ નામના જર્નલમાં સંશોધન પ્રકાશિત કર્યું છે. જેનો અહેવાલ મીડિયા સુધી પહોંચ્યો અને વિશ્વને નવા વાયરસ વિશે ખબર પડી છે.

ચીનના યુનાન (YUNNAN - CHINA) પ્રાંતના સંશોધકોએ લેબમાં 20 ચામાચીડિયામાંથી મળેલા વાયરસનું પરીક્ષણ કર્યું છે, જેમાંથી 2 ચામાચીડિયામાં 2 નવા વાયરસ મળી આવ્યા છે. જેને યુનાન બેટ હેનિપાવાયરસ-1 અને યુનાન બેટ હેનિપાવાયરસ-2 નામ આપવામાં આવ્યું છે.

હેનિપા વાયરસ નિપાહ અને હેન્ડ્રા વાયરસ ને 70% મળતો આવે છે. હેનિપા વાયરસ ચામાચીડિયાની કિડનીમાં જોવા મળ્યો છે. આ સંશોધન 2017 થી ચાલી રહ્યું હતું. તે બાદ 10 પ્રજાતિઓના 142 ચામાચીડિયામાંથી કિડનીના નમૂના લેવામાં આવ્યા હતાં. જેમાં કુલ 22 પ્રકારના વાયરસ મળી આવ્યા છે. તે પૈકી 2 હેપિના વાયરસ છે. 


હેનિપા વાયરસની શું છે અસરો? કેટલો ઘાતક છે હેનિપાવાયરસ?

હેનિપા વાયરસની શું છે અસરો? કેટલો ઘાતક છે હેનિપાવાયરસ?

સંશોધન મુજબ, વાયરસના ચેપના પ્રારંભિક લક્ષણો અંતર્ગત એન્સેફાલીટીસ (મગજમાં સોજો) અને શ્વસન રોગ થાય છે. જો કોઈ માણસ તેનાથી પ્રભાવિત થાય છે, તો મૃત્યુની શક્યતા 75% છે.

નિષ્ણાતોના મતે, હેનિપાવાયરસ મનુષ્યો અને પ્રાણીઓ બંને માટે રોગોનું કારણ બની શકે છે અને તે જ તેને વધુ ઘાતક બનાવે છે. તે ત્રણ અલગ અલગ વાયરસનું મિશ્રણ પણ છે: હેન્ડ્રા વાયરસ (HeV), નિપાહ વાયરસ (NiV), અને CedPV, જે પેરામિક્સોવિરિડે પરિવારનો ભાગ છે. હેન્ડ્રા વાયરસ (HeV) અને નિપાહ વાયરસ ખાસ કરીને ઘાતક અને જીવલેણ તરીકે જાણીતા છે. તે શ્વસન અને ન્યુરોલોજીકલ સમસ્યાઓનું કારણ બની શકે છે.

આપણે સાવધ રહેવાની જરૂર છે. લોકોએ ધ્યાન રાખવું પડશે કે ફળો અને શાકભાજીને શુદ્ધ કરવા માટે, તેમને પાણીમાં ઉકાળીને ખાવું જોઈએ. ગમે ત્યાં વહેતું પાણી પીવાનું ટાળો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top