ગૌતમ ગંભીર ઇંગ્લેન્ડનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને ભારત ફર્યા, જાણો શું છે કારણ

ગૌતમ ગંભીર ઇંગ્લેન્ડનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને ભારત ફર્યા, જાણો શું છે કારણ

06/13/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ગૌતમ ગંભીર ઇંગ્લેન્ડનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને ભારત ફર્યા, જાણો શું છે કારણ

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમની માતા સીમા ગંભીરને કાર્ડિયક અરેસ્ટ થયો છે. ગંભીરને આ માહિતી મળતા જ તેઓ ઈંગ્લેન્ડથી ભારત આવતા રહ્યા છે. અહેવાલો અનુસાર, આ ઘટના 11 જૂને બની હતી. ગંભીર હવે 17 જૂને ફરીથી ભારતીય ટીમ સાથે જોડાશે.

ગંભીર ગત ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર પણ ફેમિલી ઇમરજન્સીને કારણે ભારત આવતા રહ્યા હતા. ગંભીર માટે ઓસ્ટ્રેલિયન પ્રવાસ અને ન્યૂઝીલેન્ડ સીરિઝના પરિણામો બાદ, ગંભીર માટે ઈંગ્લેન્ડ પ્રવાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થઈ રહી છે.


ગંભીરની ગેરહાજરીમાં કોણ સંભાળશે જવાબદારી

ગંભીરની ગેરહાજરીમાં કોણ સંભાળશે જવાબદારી

ગંભીરની ગેરહાજરીમાં સહાયક કોચ રેયાન ટેન ડોએશ ભરતા અને ભારત-A વચ્ચે શુક્રવારથી શરૂ થનારી 4 દિવસીય અભ્યાસ મેચ દરમિયાન હેડ કોચની જવાબદારી સંભાળશે. તેમને બોલિંગ કોચ અને બેટિંગ કોચ સિતાંશુ કોટક જેવા અન્ય કોચિંગ સ્ટાફ તરફથી સહાયતા મળશે.

T20 વર્લ્ડ કપ 2024 બાદ ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ બન્યા. તેમણે રાહુલ દ્રવિડનું સ્થાન લીધું. ગૌતમ ગંભીરે 4 ડિસેમ્બર 2018ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ગંભીરે 2016માં રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ભારત માટે છેલ્લી ટેસ્ટ રમી હતી. ગંભીરે 58 ટેસ્ટ મેચમાં 41.95ની સરેરાશથી 4154 રન બનાવ્યા હતા, જેમાં 9 સદીનો સમાવેશ થાય છે.

ગંભીરે 147 વન-ડે મેચમાં 39.68ની સરેરાશથી 5238 રન બનાવ્યા. તેમાં વર્ષ 2011ના વર્લ્ડ કપ ફાઇનલમાં રમેલી 97 રનની યાદગાર ઇનિંગનો પણ સમાવેશ થાય છે, જેના કારણે ભારતે બીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. તેમણે વન-ડેમાં 11 સદીની ઇનિંગ રમી હતી. ગંભીરે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ પોતાની છાપ છોડી હતી. તેમણે 37 મેચમાં 7 અડધી સદીની મદદથી 932 રન બનાવ્યા હતા, જેમાં તેની સરેરાશ 27.41 રહી.


ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમઃ

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમઃ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ:

બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સે, સેમ કૂક, જેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ

પહેલી ટેસ્ટ: 20-24 જૂન, 2025 – હેડિંગ્લે, લીડ્સ

બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, 2025 - એજબેસ્ટન, બર્મિંઘમ

ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, 2025 - લોર્ડ્સ, લંડન

ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, 2025 - ઓલ્ડ ટ્રેફોર્ડ, મેન્ચેસ્ટર

પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, 2025 - ધ ઓવલ, લંડન


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top