Puri Rath Yatra: પુરીમાં પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દરમિયાન ઉમટી ભારે ભીડ, રથ ખેચવા દરમિયાન 500

Puri Rath Yatra: પુરીમાં પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દરમિયાન ઉમટી ભારે ભીડ, રથ ખેચવા દરમિયાન 500થી વધુ શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત

06/27/2025 National

SidhiKhabar

SidhiKhabar

Puri Rath Yatra: પુરીમાં પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દરમિયાન ઉમટી ભારે ભીડ, રથ ખેચવા દરમિયાન 500

Puri Rath Yatra: ઓડિશાના પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દરમિયાન એક અકસ્માત થઈ ગયો. શુક્રવારે રથ ખેંચવ દરમિયાન વધુ પડતી ભીડને કારણે 500થી વધુ શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ઓછામાં ઓછા 8 શ્રદ્ધાળુની હાલત બગડતા તેમને જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


બલભદ્રના તાલધ્વજ રથને ખેંચવા દરમિયાન આ ઘટના ઘટી

બલભદ્રના તાલધ્વજ રથને ખેંચવા દરમિયાન આ ઘટના ઘટી

એવું કહેવામાં આવી રહ્યું છે કે તીર્થ નગરીના ગ્રાન્ડ રોડ પર રથ ખેંચવાના સમારોહ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ એકઠા થયા હતા. આ દરમિયાન વધુ પડતી ભીડને કારણે ભક્તો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. આ ઘટના એ સમયે બની જ્યારે ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને ખેંચવાનું કામ શરૂ થયું.

કહેવામાં આવી રહ્યું છે કે પોતાની ભક્તિ અને ભાવનાને કારણે, હજારો ભક્તો તાલધ્વજ રથના દોરડાને સ્પર્શ કરવા માટે એકસાથે દોડી પડ્યા હતા. ભીડે રથને લગભગ અઢી કિલોમીટર દૂર ગુંડિચા મંદિર તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો. ત્યારે લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા.


ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓમાંથી 581ને હાઇ-ટેક હોસ્પિટલમાં દાખલ કરાયા

ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓમાંથી 581ને હાઇ-ટેક હોસ્પિટલમાં દાખલ કરાયા

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓમાંથી 581ને હાઇ-ટેક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા, જ્યારે 173ને હાઇ ડિપેન્ડન્સી યુનિટ (HDU)માં લઈ જવામાં આવ્યા હતા. 68 ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુને OPDમાં સારવાર આપવામાં આવી હતી. ઓછામાં ઓછા 8 શ્રદ્ધાળુઓની હાલત બગડતા તેમને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ (DHH)માં ખસેડવામાં આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top