શર્મિષ્ઠાની ધરપકડ થઈ શકે છે તો વજાહત ખાનની કેમ નહીં? તેણે પણ હિન્દુ દેવી દેવતા અને તહેવારો પર ક

શર્મિષ્ઠાની ધરપકડ થઈ શકે છે તો વજાહત ખાનની કેમ નહીં? તેણે પણ હિન્દુ દેવી દેવતા અને તહેવારો પર કરેલી વાંધાજનક ટિપ્પણી

06/03/2025 National

SidhiKhabar

SidhiKhabar

શર્મિષ્ઠાની ધરપકડ થઈ શકે છે તો વજાહત ખાનની કેમ નહીં? તેણે પણ હિન્દુ દેવી દેવતા અને તહેવારો પર ક

તાજેતરમાં, પશ્ચિમ બંગાળ પોલીસે ધાર્મિક લાગણીઓ દુભાવવાના આરોપમાં કાયદાની એક યુવાન વિદ્યાર્થિની શર્મિષ્ઠા પનોલીની ધરપકડ કરી હતી. પરંતુ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. વજાહત ખાન કાદરી રશીદી નામના જે વ્યક્તિએ શર્મિષ્ઠા વિરુદ્ધ FIR નોંધાવી હતી, તેના પર જ હવે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો અને ભડકાઉ પોસ્ટ પોસ્ટ કરવાનો આરોપ છે. વજાહત રશીદના કેસ અંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આસામ પોલીસે તેની ધરપકડ કરવા માટે બંગાળમાં એક ટીમ મોકલી છે. આસામ સરકારે વજાહતની ધરપકડ કરવા માટે બંગાળ સરકારની મદદ માગી છે.


કોણ છે વજાહત રશીદ?

કોણ છે વજાહત રશીદ?

વજાહત રશીદ કોલકાતા સ્થિત 'રશીદી ફાઉન્ડેશન'નો સહ-સંસ્થાપક છે. તેણે શર્મિષ્ઠા પનોલી વિરુદ્ધ કોલકાતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. વજાહતે આ ફરિયાદ અંગે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ પણ કરી હતી અને બાદમાં ધરપકડની ઉજવણી કરી હતી. જોકે, હવે તેની જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેણે હિન્દુ ધર્મ, ભગવાન કૃષ્ણ, કામાખ્યા દેવી મંદિર જેવા ધાર્મિક સ્થળો અને હિન્દુ તહેવારોને લઈને વાંધાજનક વાતો લખી હતી. તેણે પાછળથી તેમાંથી કેટલીક પોસ્ટ્સ ડીલિટ કરી દીધી હતી.

દિલ્હીના એડવોકેટ વિનીત જિંદલે આ ભડકાઉ પોસ્ટ્સ અંગે વજાહત રશીદ વિરુદ્ધ દિલ્હી પોલીસ અને સાયબર ક્રાઈમ યુનિટમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 194, 195, 356 અને IT એક્ટની કલમ 66, 67, 69 હેઠળ FIR નોંધવાની માગ કરી છે. અન્ય એક એડવોકેટ અમિતા સચદેવાએ પણ દિલ્હીના સાકેત સાયબર પોલીસ સ્ટેશનમાં વજાહત રશીદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે લખ્યું છે કે વજાહતની પોસ્ટ્સથી હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે અને તે સાંપ્રદાયિક તણાવ ફેલાવી શકે છે.


શર્મિષ્ઠા પનોલી માગી હતી માફી

શર્મિષ્ઠા પનોલી માગી હતી માફી

તો શર્મિષ્ઠા પનોલીએ પણ તેનો કથિત વાંધાજનક વીડિયો ડીલિટ કર્યો હતો અને માફી માગી હતી. આમ છતા, કોલકાતાની અલીપોર કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે શું કાયદો બધા માટે સમાન છે? અને શું બંને કેસમાં ન્યાયી કાર્યવાહી થશે? આ જોવાનું બાકી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top