ભારતે પહેલગામ હુમલાનો બદલો લઈ લીધો! ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 100 કિમી ઘૂસીને 9 આતંકી ઠેકાણા કર

ભારતે પહેલગામ હુમલાનો બદલો લઈ લીધો! ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 100 કિમી ઘૂસીને 9 આતંકી ઠેકાણા કર્યા તબાહ

05/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

ભારતે પહેલગામ હુમલાનો બદલો લઈ લીધો! ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 100 કિમી ઘૂસીને 9 આતંકી ઠેકાણા કર

Operation Sindoor: આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા, ભારતે બુધવારે રાત્રે 1:30 વાગ્યે 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન હતું. ભારતના પરાક્રમી દળોએ પાકિસ્તાનમાં 4 સ્થળો અને PoKમાં 5 સ્થળોને નિશાન બનાવ્યા હતા. ભારતીય ગુપ્તચર એજન્સી RAWએ બધા લક્ષ્યોને ઓળખ કરી હતી, ત્યારબાદ પૂરી પ્લાનિંગ સાથે લશ્કર અને જૈશના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ કે આ કયા-કયા સ્થળો છે અને તે આંતરરાષ્ટ્રીય સરહદથી કેટલા દૂર છે.


આ 9 સ્થળોએ ભારતે કરી એરસ્ટ્રાઈક

આ 9 સ્થળોએ ભારતે કરી એરસ્ટ્રાઈક
  1. બહાવલપુર - આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિમી દૂર આવેલું છે, તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જેને ભારતીય દળો દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે.
  2. મુરિદકે- આ આતંકવાદી ઠેકાણું આંતરરાષ્ટ્રીય સરહદથી 30 કિમી દૂર આવેલું છે. તે લશ્કર-એ-તૈયબાનો કેમ્પ હતો, જે 26/11ના મુંબઈ હુમલા સાથે જોડાયેલો હતો.
  3. ગુલપુર- આ આતંકવાદી ઠેકાણું LoC (પુંછ-રાજૌરી)થી 35 કિમી દૂર આવેલું છે.
  4. લશ્કર કેમ્પ સવાઈ- આ આતંકવાદી ઠેકાણું PoK તંગધાર સેક્ટરમાં 30 કિમી અંદર આવેલું છે.
  5. બિલાલ કેમ્પ- જૈશ-એ-મોહમ્મદનું લોન્ચપેડ, આ ઠેકાણાનો ઉપયોગ આતંકવાદીઓને સરહદ પાર મોકલવા માટે કરવામાં આવતો હતો.
  6. કોટલી - LoCથી 15 કિમી દૂર સ્થિત લશ્કર કેમ્પ. આ એક એવું ઠેકાણું હતું જેમાં 50થી વધુ આતંકવાદીઓની ક્ષમતાવાળું સ્થળ હતું.
  7. બરનાલા કેમ્પ- આ આતંકવાદી ઠેકાણું LoCથી 10 કિમી દૂર આવેલું હતું.
  8. સરજલ કેમ્પ- જૈશનું તાલીમ કેન્દ્ર સાંબા-કઠુઆની સામે આંતરરાષ્ટ્રીય સરહદથી 8 કિમી દૂર સ્થિત છે.
  9. મેહમૂના કેમ્પ (સિયાલકોટ નજીક)- તે હિઝબુલ મુજાહિદ્દીનનો તાલીમ કેમ્પ હતો અને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિમી દૂર સ્થિત હતો.

ભારતે લક્ષ્યો પસંદ કરવામાં સંયમ રાખ્યો: સંરક્ષણ મંત્રાલય

ભારતે લક્ષ્યો પસંદ કરવામાં સંયમ રાખ્યો: સંરક્ષણ મંત્રાલય

ભારતના હવાઈ હુમલા બાદ સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે 'થોડા સમય અગાઉ, ભારતીય સશસ્ત્ર દળોએ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને PoKમાં સ્થિત આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો.' વધુમાં કહેવામાં આવ્યું હતું કે કુલ 9 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તે સ્પષ્ટપણે જણાવે છે કે અમારી કાર્યવાહી ઉશ્કેરણીજનક નથી. કોઈપણ પાકિસ્તાની લશ્કરી પ્રતિષ્ઠાનને નિશાન બનાવવામાં આવ્યું નથી. ભારતે પોતાના લક્ષ્યો પસંદ કરવામાં સંયમ રાખ્યો છે.


'ભારતે 6 સ્થળોએ 24 હુમલા કર્યા'

'ભારતે 6 સ્થળોએ 24 હુમલા કર્યા'

ભારતના હવાઈ હુમલા બાદ પાકિસ્તાની સેનાનું નિવેદન પણ સામે આવ્યું છે. પાકિસ્તાની સેનાએ કહ્યું કે 6 સ્થળોએ 24 હુમલા કરવામાં આવ્યા હતા. આમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 33 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો, ભારતીય સેનાના હવાઈ હુમલા બાદ ગભરાયેલૂ પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. 6-7 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા અને જમ્મુ અને કાશ્મીરની સામેની આંતરરાષ્ટ્રીય સરહદ પર તેની ચોકીઓ પરથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર અને તોપમારો કર્યો. આ અંધાધૂંધ ગોળીબાર અને તોપમારાથી 3 નાગરિકોના જીવ ગયા. ભારતીય સેનાએ આ કાર્યવાહીનો જડબતોડ જવાબ આપ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top