ભારતના વધુ એક દુશ્મનનો પાકિસ્તાનમાં ખાત્મો! જૈશના મોટા આતંકીનું રહસ્યમય મોત

ભારતના વધુ એક દુશ્મનનો પાકિસ્તાનમાં ખાત્મો! જૈશના મોટા આતંકીનું રહસ્યમય મોત

06/03/2025 World

SidhiKhabar

SidhiKhabar

ભારતના વધુ એક દુશ્મનનો પાકિસ્તાનમાં ખાત્મો! જૈશના મોટા આતંકીનું રહસ્યમય મોત

પાકિસ્તાન અત્યારે વધી બાજુથી ઘેરાયેલું છે. એક તરફ બલૂચો સ્વતંત્રતાની માગ કરી રહ્યા છે, તેમને રોજ નાની-નાની સફળતા મળી રહી છે. થોડા દિવસ અગાઉ BLAએ એક શહેર પર કબજો કરવાનો દાવો કર્યો હતો. તો હાલમાં જ BLAએ એક ISI એજન્ટ બાબૂલ હસ્સાનીને કાર સહિત ઉડાવી દીધો હતો. બીજી તરફ ભારતના દુશ્મનોને કોઈક રહસ્યમય રીતે ટપકાવી રહ્યું છે. પાકિસ્તાનની ઇકોનોમી પણ અત્યારે IMF અને ચીનની ભીખથી ચાલી રહી છે.

ગયા મહિને લશ્કરના ટોપ કમાન્ડર સૈફુલ્લાહ ખાલીને અજાણ્યા ઇસમોએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. સૈફુલ્લાહ એક જૂનો આતંકી હતો, જેણે ભારતમાં ઘણા હુમલા કર્યા હતા અને ભારતમાં તેનું આતંકીઓની લિસ્ટમાં ખૂબ ઉપર નામ આવે છે. આ વર્ષે માર્ચમાં માર્ચમાં લશ્કરના આતંકી આબૂ કતાલને પણ અજાણ્યા ઇસમે મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સિવાય પણ ઘણા આતંકીઓનો સફારો રહસ્યમય રીતે થઈ રહ્યો છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાઈ ગયું છે.


જૈશના આતંકી અબ્દુલ અઝીઝનું રહસ્યમય મોત

જૈશના આતંકી અબ્દુલ અઝીઝનું રહસ્યમય મોત

પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના સીનિયર કમાન્ડર અબ્દુલ અઝીઝ ઇસર, જેને આતંકનો ચહેરો કહેવામાં આવતો હતો તેનું મોત થઈ ગયું છે. આ રહસ્યમય મોતે ગુપ્તચર એજન્સીઓથી લઈને આતંકવાદી નેટવર્ક સુધીમાં હલચલ મચાવી દીધી છે. જૈશ-એ-મોહમ્મદના આ કુખ્યાત આતંકવાદીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યૂં હતું, પરંતુ તેનું મોત કેવી રીતે થયું તેનું હજુ પણ એક રહસ્ય છે. અહેવાલો અનુસાર, તે પાકિસ્તાનના બહાવલપુરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યાં જૈશનું મુખ્ય મથક પણ આવેલું છે.

અહેવાલો અનુસાર, અબ્દુલ અઝીઝ એજ આતંકવાદી હતો જેણે ગયા મહિને જૈશની રેલીમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યૂં હતું. તેણે ખુલ્લા મંચ પરથી ધમકી આપી હતી કે ભારતનું ભાગ્ય USSR જેવું થશે. તેનું સપનું તો પૂરું થવાનું નથી, પરંતુ આજે એ જ આતંકવાદીનું મોત થઈ ગયું છે. જૈશ અને પાકિસ્તાન સરકારે આ મોત અંગે મૌન ધારણ કર્યું છે. જૈશ સાથે સંબંધિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે તેના મોત અને અંતિમ સંસ્કારની પુષ્ટિ કરી છે, પરંતુ મોતના કારણને લઈને એક પણ શબ્દ બોલવામાં આવ્યો નથી.


યુવાનોને કટ્ટરપંથી બનાવતો હતો અઝીઝ

યુવાનોને કટ્ટરપંથી બનાવતો હતો અઝીઝ

અહેવાલો અનુસાર, અબ્દુલ અઝીઝ જૈશ-એ-મોહમ્મદના પંજાબ પ્રાંતમાં અને ખાસ કરીને બહાવલપુર, રાવલપિંડી જેવા વિસ્તારોમાં યુવાનોને ભારત વિરુદ્ધ ઉશ્કેરીને કટ્ટરપંથી બનાવતો હતો. તેનું મોત જૈશ માટે, ખાસ કરીને સ્થાનિક ભરતી અને બ્રેનવોશ નેટવર્ક માટે મોટો ઝટકો છે.

જૈશ સાથે જોડાયેલા એકાઉન્ટ્સનું કહેવું છે કે તેને બહાવલપુરમાં દફનાવવામાં આવ્યો, પરંતુ મોતના કારણ અંગે મૌન છે. પરંતુ ઘણા અહેવાલો અનુસાર, તેનું મોત હાર્ટ એટેકથી થયું હતું. ઓપરેશન સિંદૂર બાદ  પાકિસ્તાનમાં આતંકવાદીઓ હચમચી ગયા છે. તેઓ સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top