Maharashtra Cancels 3 Language Policy Resolution: મરાઠી અસ્મિતા સામે ઝૂકી ફડણવીસ સરકાર! મહારાષ્ટ્રની સ્કૂલોમાં હવે હિન્દી જરૂરી નથી; જાણો કેમ બદલાવો પડ્યો નિર્ણય
Maharashtra Cancels 3 Language Policy Resolution: મહારાષ્ટ્રમાં ભાષા વિવાદને લઈને ફડણવીસ સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. હિન્દીને ફરજિયાત બનાવવાના નિર્ણયને રાજ્ય સરકારે રદ કરતી આ નોટિફિકેશન ખેંચી લીધી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ જાહેરાત કરી છે કે એક સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિના અહેવાલ આવ્યા બાદ આગળનું પગલું નક્કી કરવામાં આવશે. ત્યારબાદ ત્રિભાષા ફોર્મ્યૂલા લાગૂ કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં પહેલા ધોરણથીથી હિન્દીને ફરજિયાત કરવાનો મામલો સામે આવતા જ વિપક્ષી શિવસેના (UBT) અને રાજ ઠાકરેની પાર્ટી MNS તેની વિરુદ્ધ એક થઈ ગઈ. બંને પક્ષોએ 5 જુલાઈએ ભવ્ય રેલી કાઢવાની જાહેરાત કરી. મામલો જે રીતે વધ્યો, તે ભવિષ્યમાં એક મોટો મુદ્દો બની શકે તેવી શક્યતા વધી ગઈ હતી.
સરકારે નિર્ણય પાછો ખેંચ્યા બાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે ‘મરાઠી માનુષ’ની એકતા સામે ઝૂકવું પડ્યું, જેના કારણે સરકારે ધોરણ 1 થી 5 સુધી હિન્દી ભાષા લાગૂ કરવા સંબંધિત 2 સરકારી આદેશો (GR) પાછા ખેંચવા પડ્યા. સરકારે હિન્દી થોપવાના નિર્ણય સામે મરાઠી લોકોની એકતાને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો. તેમણે સ્પષ્ટતા કરી કે મરાઠી સમાજ હિન્દી ભાષાનો વિરોધ કરી રહ્યો નથી, પરંતુ બળજબરીથી થોપવાની માનસિકતાનો વિરોધ કરી રહ્યો છે.
ઠાકરેએ કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ સરકારનો ઇરાદો મરાઠી માનુષની એકતાને તોડવા, મરાઠી અને બિન-મરાઠી લોકોને વિભાજીત કરવા અને બિન-મરાઠી મતો હાંસલ કરવાની મંશા છુપાયેલો હતો. સરકાર મરાઠી માનુષની તાકાત સામે હારી ગઈ. તેને ખબર નહોતી કે મરાઠી માનુષ આ રીતે એક થશે.’ તેમણે સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન દરમિયાન મરાઠી માનુષની આવી જ તાકતની યાદ અપાવી.
જેવી જ સરકારનો ત્રિભાષા ફોર્મ્યૂલાનો આદેશ સામે આવ્યો તો તેને લઈને શિવસેના UBT અને રાજ ઠાકરેની MNSએ તેનો ઉગ્રવિરોધ શરૂ કરી દીધો. બંને પક્ષોએ તેને મરાઠી ઓળખ સાથે જોડીને તેને મરાઠી ભાષા પર હુમલો ગણાવ્યો. આ ઉપરાંત, મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકલે મરાઠી લોકો પર થોપનારો આદેશ બતાવતા તેને છેતરપિંડી ગણાવી.
ભાજપ સરકાર પર નિશાન સાધતા રાજ ઠાકરેએ કહ્યું કે, જો આવું છે, તો પછી ગુજરાતમાં આ નિર્ણય કેમ લાગૂ કરવામાં આવી રહ્યો નથી? રાજ ઠાકરેએ જાહેરાત કરી કે તેઓ સરકારના આ ત્રિભાષાના ફોર્મ્યૂલા સામે 5 જુલાઈએ ગિરગાંવ ચોપાટીમાં કૂચ કરશે, જેમાં કોઈ રાજકીય બેનર નહીં હોય. તેમણે અન્ય વિપક્ષી પક્ષોને પણ આ કૂચમાં જોડાવા અપીલ કરતા કહ્યું કે તેઓ જોશે કે આ કૂચમાં કોણ આવે છે અને કોણ નહીં. ત્યારબાદ, ઉદ્ધવ ઠાકરેએ આ કૂચને સમર્થન આપતા કહ્યું કે તેઓ આ મામલે રાજ ઠાકરે સાથે ઉભા રહેશે. ઉદ્ધવે એક ડગલું આગળ વધીને રમતગમત, ફિલ્મ અને ઉદ્યોગના લોકોને કૂચમાં જોડાવા વિનંતી કરી.
જોત જોતામાં ત્રિભાષી ફોર્મ્યૂલાએ એટલી ગતિ પકડી કે તે મરાઠી ઓળખનો સવાલ બની ગયો. રાજ્ય સરકાર પણ સારી રીતે જાણતી હતી કે આ મામલો એટલો મોટો ન બનવો જોઈએ કે તે મરાઠા અનામત જેવો મુદ્દો બની જાય. લોકસભા ચૂંટણીમાં મરાઠા અનામત આંદોલનને કારણે NDAને ખૂબ નુકસાન થયું હતું. ભાજપ મરાઠવાડા ક્ષેત્રમાંથી એક પણ બેઠક જીતી શકી નહોતી. એવામાં, ભાષા વિવાદનો મુદ્દો રાજ્યવ્યાપી ન બની જાય તેના પર સરકારની નજર હતી અને આ જ કારણ હતું કે સરકાર બેકફૂટ પર આવી ગઈ અને આદેશ પાછો ખેંચવો પડ્યો.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા સુધારેલા સંશોધિત આદેશમાં, નિર્દેશ આપવામાં આવ્યો હતો કે મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે. આ નિર્ણય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પ્રાથમિક શિક્ષણમાં તબક્કાવાર રીતે લાગૂ કરવામાં આવી રહેલી ભાષા નીતિનો એક ભાગ હતો. જોકે, આદેશમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જો કોઈ વર્ગમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓ હિન્દીને બદલે અન્ય કોઈ ભારતીય ભાષા પસંદ કરવા માગતા હોય, તો શાળા તે ભાષા માટે શિક્ષકની વ્યવસ્થા કરશે અથવા વૈકલ્પિક રીતે વિષય ઓનલાઈન માધ્યમથી શીખવી શકશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp