Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રહેણાંકના મકાનોના ટ્રાન્સફર માટે ભરવાપાત્ર ડ્યુટીને લઈને

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રહેણાંકના મકાનોના ટ્રાન્સફર માટે ભરવાપાત્ર ડ્યુટીને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય

06/30/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રહેણાંકના મકાનોના ટ્રાન્સફર માટે ભરવાપાત્ર ડ્યુટીને લઈને

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે નાના અને મધ્યમવર્ગના લોકોના હિતમાં નિર્ણય લીધો હતો. રહેણાંક મકાનમાં ટ્રાન્સફર માટેની ડ્યૂટીમાં પણ લાભ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કરેલા આ મહત્ત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસિયેશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદિલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યૂટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યૂટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યૂટી વસૂલવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (C) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટ અપાશે.


લોકો ઉપર દંડની રકમનો કોઈ વધારાનો નાણાકીય ભાર નહીં આવે

લોકો ઉપર દંડની રકમનો કોઈ વધારાનો નાણાકીય ભાર નહીં આવે

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમવર્ગના લોકો ઉપર આવા તબદિલીના કિસ્સાઓમાં જે નાણાકીય ભાર આવતો હતો. આ આખા મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના, મધ્યમવર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કરેલા નિર્ણય મુજબ, હવે મૂળ ડ્યૂટીના 20 ટકા તેમજ દંડની રકમ મળીને માત્ર લેવા પાત્ર ડ્યૂટી જેટલી જ રકમ વસૂલવામાં આવશે. આમ રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યૂટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની સંપત્તિના સંબંધમાં જેટલી ડ્યૂટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે. આવા ટ્રાન્સફરના મામલે લોકો પર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય ભાર નહીં પડે.

ગુજરાતમાં 30,000થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ આવેલી છે. આવી સોસાયટીઓનું સંચાલન સહકારી કાયદા હેઠળ થતું હતું. આવી સોસાયટીઓમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા ઘરની ખરીદી કરવામાં આવે છે ત્યારે સોસાયટી દ્વારા તે વ્યક્તિ પાસેથી ટ્રાન્સફર ફી લેવામાં આવે છે. આવી ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાના કારણે, સોસાયટીઓ મનમાની કરીને વ્યક્તિઓ પાસેથી મોટી ટ્રાન્સફર ફી વસૂલતી હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળતી હતી.

આ નિર્ણયના અનુસંધાને જાહેર કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્ર ને માત્ર સોસાયટી, એસોસિયેશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલા ટ્રાન્સર માટે જ લાગૂ પડશે.

રાજ્ય સરકાર દ્વારા આવી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં થતી હેરાનગતિને અટકાવવા, ટ્રાન્સફર સંબંધિત જરૂરી કાયદા અને નિયમો બનાવવાનું નક્કી કર્યું હતું જેના અનુસંધાને વર્ષ 2024માં સહકારી કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સહકારી કાયદામાં થયેલા સુધારા અંતર્ગત નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને તે અનુસાર હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરની ખરીદ/વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ કરતા કોઈ વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહી, તેવી જોગવાઇ કરવામાં આવી છે.


4 મહિના અગાઉ રાજ્ય સરકારે લીધો હતો આ નિર્ણય

4 મહિના અગાઉ રાજ્ય સરકારે લીધો હતો આ નિર્ણય

આ ટ્રાન્સફર ફીની જોગવાઈ વધુમાં વધુ છે, જેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ પોતાની મેળે તે રકમમાં ઘટાડો કરી અને તેમના ઉપનિયમોમાં જોગવાઈ કરી શકે છે, પરંતુ કોઈપણ સંજોગોમાં આ રકમથી વધુ રકમ તેઓ વસૂલ કરી શકશે નહીં. આ નિયમો અનુસાર કોઈપણ કાયદેસરના વારસદારને જો કોઈ અવેજ વિના સંપત્તિ ટ્રાન્સફર કરવામાં આવેલ હશે તો પણ કોઈ ટ્રાન્સફર ફી લઈ શકાશે નહીં. ઉપરાંત કોઇપણ વ્યક્તિ પાસેથી ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈપણ નામે ટ્રાન્સફર સમયે કોઈપણ રકમ સોસાયટીઓ વસૂલ નહીં કરી શકે.

4 મહિના અગાઉ રાજ્ય સરકારે હાઉસિંગ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફીને લઈ મહત્ત્વનો નિર્ણય લીધો હતો, જે અંતર્ગત હવે ઘરની ખરીદ-વેચાણ સમયે હાઉસિંગ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફી કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ જ ફી લઈ શકાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top