ભોપાલથી PM મોદીએ પાકિસ્તાનને આપી દીધી સખત ચેતવણી, બોલ્યા- ‘આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે..’

ભોપાલથી PM મોદીએ પાકિસ્તાનને આપી દીધી સખત ચેતવણી, બોલ્યા- ‘આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે..’

05/31/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

ભોપાલથી PM મોદીએ પાકિસ્તાનને આપી દીધી સખત ચેતવણી, બોલ્યા- ‘આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે..’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્ય પ્રદેશના ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો અને અનેક પરિયોજનાઓની શરૂઆત કરી હતી. આ દરમિયાન જાહેર સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર આતંકવાદ સામેનું સૌથી મોટું ઓપરેશન છે. આપણી સેનાએ સેકડો કિલોમીટર અંદર ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા નષ્ટ કર્યો.


'ઓપરેશન સિંદૂર નારી શક્તિની શક્તિનું પ્રતિક

'ઓપરેશન સિંદૂર નારી શક્તિની શક્તિનું પ્રતિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘પહેલગામમાં, આતંકવાદીઓએ માત્ર ભારતીયોનું લોહી જ વહાવ્યું નથી, તેમણે આપણી સંસ્કૃતિ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે આપણા સમાજને વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો છે. આતંકવાદીઓએ ભારતની નારી શક્તિને પડકાર ફેંક્યો છે. આ પડકાર આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે મૃત્યુઘંટ બની ગયો છે. ઓપરેશન સિંદૂર આતંકવાદીઓ સામે ભારતના ઇતિહાસમાં સૌથી મોટું અને સૌથી સફળ ઓપરેશન છે. જ્યાં પાકિસ્તાની સેનાએ વિચાર્યું પણ નહોતું, ત્યાં આપણી સેનાએ આતંકવાદીઓના ઠેકાણાઓનો નષ્ટ કરી દીધા. સિંદૂર આપણી પરંપરાનું પ્રતિક છે, હવે તે ભારતના શૌર્યનું પ્રતિક છે.

ઓપરેશન સિંદૂરે તાલ ઠોકીને કહી દીધું છે કે આતંકવાદ દ્વારા પ્રૉક્સી વૉર કામ નહીં કરે. હવે ઘરોમાં ઘૂસીને પણ મારીશું અને આતંકવાદીઓને મદદ કરશે તેને પણ ભારે કિંમત ચૂકવવી પડશે. ભારતનો દરેક નાગરિક કહી રહ્યો છે કે જો તમે ગોળી ચલાવશો તો માની લો કે ગોળીનો જવાબ ગોળાથી આપવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર આપણી નારી શક્તિના સમર્થયાનું પ્રતિક બની ગયું છે. આપણે બધા જાણીએ છીએ કે BSFની ઓપરેશનમાં ખૂબ મોટી ભૂમિકા રહી છે. BSFની દીકરીઓ કાશ્મીરથી ગુજરાત સુધી કમાન સંભાળી રહી હતી. તેમણે સરહદ પારથી થતી ગોળીબારનો જવાબ આપ્યો છે. BSFની વીર દીકરીઓએ અદ્ભુત બહાદુરી દેખાડી છે. દીકરીઓની બહાદુરી આખી દુનિયા જોઈ રહી છે.’


લોકમાતા અહિલ્યાબાઈએ પ્રભુ સેવા અને જનસેવાને ક્યારેય અલગ નથી માની

લોકમાતા અહિલ્યાબાઈએ પ્રભુ સેવા અને જનસેવાને ક્યારેય અલગ નથી માની

PM મોદીએ કહ્યું કે, ‘250-300 વર્ષ અગાઉ જ્યારે દેશ ગુલામીની સાંકળોમાં જકડાયેલો હતો, તે સમયે એવા મહાન કાર્ય કરી જવા કે આગામી ઘણી પેઢીઓ તેની ચર્ચા કરે. એમ કહેવું સરળ છે, પરંતુ કરવું સરળ નહોતું. લોકમાતા અહિલ્યાબાઈએ ક્યારેય પ્રભુ સેવા અને જન સેવાને અલગ નથી માની. એવું કહેવાય છે કે તેઓ હંમેશાં પોતાની સાથે શિવલિંગ લઈને ચાલતા હતા. તે પડકારજનક કાળખંડમાં એક રાજ્યનું નેતૃત્વ, કાંટાથી ભરેલો તાજ, પરંતુ લોકમાતા અહિલ્યાબાઈએ પોતાના રાજ્યની સમૃદ્ધિને નવી દિશા આપી.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top