પાકિસ્તાનના બહાને વડાપ્રધાન મોદીએ દુનિયાને ચોખ્ખું સંભળાવી દીધું- ‘હું દુનિયાને કહું છું કે જો

પાકિસ્તાનના બહાને વડાપ્રધાન મોદીએ દુનિયાને ચોખ્ખું સંભળાવી દીધું- ‘હું દુનિયાને કહું છું કે જો પાકિસ્તાન..’

05/13/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનના બહાને વડાપ્રધાન મોદીએ દુનિયાને ચોખ્ખું સંભળાવી દીધું- ‘હું દુનિયાને કહું છું કે જો

10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના નિર્ણયના લગભગ 51 કલાક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ અમારું અભિયાન ચાલુ રહેશે અને પાકિસ્તાને આતંકવાદ છોડવો જ પડશે.


દુનિયાને પણ વડાપ્રધાન મોદીનો સ્પષ્ટ સંદેશ

દુનિયાને પણ વડાપ્રધાન મોદીનો સ્પષ્ટ સંદેશ

વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યું કે, ‘પાકિસ્તાને આતંકવાદનો રસ્તો છોડવો જ પડશે. હું સ્પષ્ટ કરવા માગુ છું કે હવે પાકિસ્તાન સાથે માત્ર આતંક અને PoK પર જ વાતચીત થશે. અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા નહીં થાય. વડાપ્રધાનનો આ સંદેશ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે એવી ચર્ચા થઈ હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર અને પાણીના મુદ્દા પર વાતચીત થશે. અમેરિકાએ પણ આ મુદ્દાને ઉકેલવાની વાત કરી હતી, પરંતુ વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે વાતચીત માત્ર આતંકવાદ અને PoK પર જ થશે.


જાણો વડાપ્રધાન મોદીના ભાષણની મોટી વાતો

જાણો વડાપ્રધાન મોદીના ભાષણની મોટી વાતો
  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર બાદ, પાકિસ્તાન સરહદ પર હુમલો કરવા માટે તૈયાર હતું, પરંતુ ભારતે તેની છાતી પર હુમલો કર્યો.
  • બોખલાહટમાં, પાકિસ્તાને આપણા સામાન્ય લોકો, મંદિરો-ગુરુદ્વારાઓ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. પરંતુ આપણી મિસાઇલોએ પાકિસ્તાનમાં ઘૂસીને તેમના આતંકવાદી ઠેકાણાઓને જ તબાહ કરી દીધા.
  • આતંકવાદીઓએ બહેનોના સિંદૂર ઉજાડ્યા, અમે આતંકના મુખ્યાલયને ઉડાવી દીધા
  • પાકિસ્તાનમાં ભારતના હુમલાથી આતંકની ઇમારત જ નહીં, તેનો આત્મવિશ્વાસ પણ કાંપી ઉઠ્યો.
  • દળોએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર સચોટ હુમલો કર્યો છે. કોઈએ વિચાર્યું નહોતું કે ભારત આ રીતે હુમલો કરશે.
  • જ્યારે ભારતના મિસાઇલો અને ડ્રોન દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે આતંકવાદીઓનું મનોબળ ડગમગી ગયું.
  • ભારત પરમાણુ બ્લેકમેઇલ સહન નહીં કરે.
  • અમે આતંકવાદ પર હુમલો કરતા રહીશું.
  • અમે હંમેશાં પાકિસ્તાનને યુદ્ધના મેદાનમાં હરાવ્યું છે. ઓપરેશન સિંદૂરે તેને એક નવો અધ્યાય આપ્યો છે.
  • દુનિયાએ આપણા સ્વદેશી હથિયારોની શક્તિ પણ જોઈ.
  • આ યુદ્ધનો યુગ નથી, પરંતુ આ આતંકવાદનો પણ યુગ નથી.
  • પાકિસ્તાની સેના, પાકિસ્તાન સરકાર... આ ગઠબંધન પાકિસ્તાનને જ ખતમ કરી દેશે.
  • ભારતનો મત એકદમ સ્પષ્ટ છે કે આતંક અને વાતચીત એકસાથે નહીં ચાલી શકે. વેપાર અને આતંક એકસાથે નહીં ચાલી શકે. પાણી અને લોહી પણ એકસાથે નહીં વહી શકે.
  • હું દુનિયાને કહું છું કે જો પાકિસ્તાન પર કોઈ ચર્ચા થશે તો માત્ર આતંક અને PoK પર જ થશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top