પાકિસ્તાનના બહાને વડાપ્રધાન મોદીએ દુનિયાને ચોખ્ખું સંભળાવી દીધું- ‘હું દુનિયાને કહું છું કે જો પાકિસ્તાન..’
10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના નિર્ણયના લગભગ 51 કલાક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ અમારું અભિયાન ચાલુ રહેશે અને પાકિસ્તાને આતંકવાદ છોડવો જ પડશે.
વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યું કે, ‘પાકિસ્તાને આતંકવાદનો રસ્તો છોડવો જ પડશે. હું સ્પષ્ટ કરવા માગુ છું કે હવે પાકિસ્તાન સાથે માત્ર આતંક અને PoK પર જ વાતચીત થશે. અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા નહીં થાય. વડાપ્રધાનનો આ સંદેશ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે એવી ચર્ચા થઈ હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર અને પાણીના મુદ્દા પર વાતચીત થશે. અમેરિકાએ પણ આ મુદ્દાને ઉકેલવાની વાત કરી હતી, પરંતુ વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે વાતચીત માત્ર આતંકવાદ અને PoK પર જ થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp