શું શરદ પવારની પાર્ટી NCPમાં થશે વિલય? અજીત પવાર જૂથમાં બે ભાગલા

શું શરદ પવારની પાર્ટી NCPમાં થશે વિલય? અજીત પવાર જૂથમાં બે ભાગલા

05/31/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

શું શરદ પવારની પાર્ટી NCPમાં થશે વિલય? અજીત પવાર જૂથમાં બે ભાગલા

મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ઉથલ-પાથલ થવાની શક્યતા છે. અજીત પવાર અને શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પુનઃમિલનની અટકળોથી અજીત પવાર જૂથના નેતાઓ નારાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજીત પવારના જૂથના વરિષ્ઠ નેતા સુનિલ તટકરે અને પ્રફુલ પટેલ કથિત રીતે આ વિલયની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે આ વિલય પાર્ટીમાં તાકત અને પદોની વહેંચણીને મુશ્કેલ અને જટિલ બનાવી શકે છે.


વિલય પર કેમ છે મતભેદ?

વિલય પર કેમ છે મતભેદ?

જો અજીત અને શરદની પાર્ટીનું વિલય થાય છે, તો કેન્દ્રીય મંત્રી પદો માટે સ્પર્ધા થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી પદ માટે પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલે વચ્ચે કઠિન સ્પર્ધા થવાની શક્યતા છે. એટલું જ નહીં, પાર્ટીમાં જયંત પાટીલની ભૂમિકા અંગે મૂંઝવણ છે. સવાલ એવો પણ રહે છે કે જયંત પાટીલને મંત્રી પદ મળશે કે તેઓ પ્રદેશ પ્રમુખ પદ પર બન્યા રહેશે.

શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે અજીત પવાર જૂથ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે એક તરફ તેઓ અજીત પવારને પોતાના નેતા કહે છે. બીજી તરફ તેઓ વડાપ્રધાન મોદીની મોટી દુકાન સાથે પોતાની નાની દુકાન ટકાવી રાખવા માગે છે. તેમણે પૂછ્યું કે જો વિલય થાય છે, તો તટકરે અને પટેલ જેવા નેતા પોતાની સ્થિતિ જાળવી શકશે? કેન્દ્રીય પદ માટેની રેસમાં તેમની ભૂમિકા પણ જોખમમાં મુકાઈ શકે છે.


સુનિલ તટકરેએ શું કહ્યું?

સુનિલ તટકરેએ શું કહ્યું?

અજીત પવાર જૂથના NCPના પ્રદેશ અધ્યક્ષ સુનિલ તટકરેએ કહ્યું કે પાર્ટીના વિલય અંગે કોઈ ઔપચારિક પ્રસ્તાવ આવ્યો નથી. NCP નેતા અનિલ દેશમુખે પણ સ્પષ્ટતા કરી કે વિલય અંગેના સમાચાર માત્ર મીડિયાની અટકળો છે. પાર્ટીની અંદર આવી કોઈ વાતચીત ચાલી રહી નથી.

શરદ પવારે પોતે સ્વીકાર્યું છે કે પાર્ટી 2 જૂથોમાં વહેંચાઈ ગઈ છે. એક ઇચ્છે છે કે પાર્ટીનું વિલય થાય, જ્યારે બીજું ઇચ્છે છે કે તે દક્ષિણપંથી વિચારો સાથે લડાઈ ચાલુ રાખે. તેમણે સંકેત આપ્યો કે આ અંગે અંતિમ નિર્ણય સુપ્રિયા સૂલે જેવા યુવા નેતાઓના હાથમાં રહેશે.


દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા અને ભાજપના સંકેત?

દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા અને ભાજપના સંકેત?

તાજેતરમાં એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શરદ પવારની લડાયક ભાવના અને કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. ફડણવીસના આ નિવેદનથી સંકેત મળ્યો કે આગામી સમયમાં ભાજપ શરદ પવાર પ્રત્યે નરમ વલણ બતાવશે. 10 જૂને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો સ્થાપના દિવસ છે. એવામાં જોવાનું એ રહેશે કે ટોચનું નેતૃત્વ પક્ષ અંગે શું નિર્ણય લે છે. બધાની નજર ટોચના નેતૃત્વ પર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top