બાળકોને શરદી-ખાંસીમાં આપવામાં આવતી આ દવા પર ભારતે લગાવ્યો પ્રતિબંધ
Ban on Medicines: ભારતના ડ્રગ્સ રેગ્યુલેટરે (drugs regulator) બાળકો માટે ઉધરસની દવાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને લેબલ પર સ્પષ્ટ ચેતવણીઓનો આદેશ આપ્યો છે. કફ સિરપથી વૈશ્વિક સ્તરે 141 થી વધુ બાળકોના મૃત્યુ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, નિયમનકારે કહ્યું કે અનુમતિ વિના શિશુઓમાં ઉધરસની દવાના પ્રચાર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારબાદ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ દવા ન આપવાની ભલામણ કરવામાં આવી હતી.
નિયમનકાર દ્વારા નક્કી કરેલા ફિક્સ્ડ-ડ્રગ કોમ્બિનેશન્સ (FDC) પર18 ડિસેમ્બરે આદેશ જારી કરવામાં આવ્યો હતો અને બુધવારે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રગ ઉત્પાદકોને તેમના ઉત્પાદનોને ચેતવણી સાથે લેબલ કરવાની આવશ્યકતા છે કે FDCનો ઉપયોગ 4 વર્ષથી નાના બાળકો માટે કરી શકાતો નથી. આ ફિકસ્ડ ડ્રગ્સ કોમ્બિનેશન ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇનથીબનેલું છે. આ દવાઓ માટેભાગે સિરપ અથવા ટેબલેટમાં સામાન્ય શરદીના લક્ષણોની સારવાર માટે કરવામાં આવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઉધરસ અને શરદીના લક્ષણોની સારવાર માટે ઓવર-ધ-કાઉન્ટર કફ સિરપ અથવા દવાઓનો ઉપયોગ કરવાની ભલામણ કરતું નથી. ભારતે જૂનથી કફ સિરપની નિકાસ માટે ફરજિયાત પરીક્ષણો રજૂ કર્યા છે અને દવા ઉત્પાદકોની તપાસમાં વધારો કર્યો છે. દવાઓના ઉત્પાદકો જેમની કફ સિરપ બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલી છે, તેઓએ કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp