પાકિસ્તાને જણાવ્યું- ‘ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના કેટલા જવાનોના રામ રમી ગયા’

પાકિસ્તાને જણાવ્યું- ‘ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના કેટલા જવાનોના રામ રમી ગયા’

05/13/2025 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાને જણાવ્યું- ‘ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના કેટલા જવાનોના રામ રમી ગયા’

22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે 6-7 મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી કરી હતી. ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને 9 આતંકવાદી ઠેકાણાઓને પૂરી રીતે તબાહ કરી દીધા, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. પાકિસ્તાને 7-10 મે દરમિયાન ભારત પર ડ્રોન અને મિસાઇલોથી ઘણી વખત હુમલા કર્યા, જેનો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો. ભારતે પોતાની કાર્યવાહીમાં 11 એરબેઝ ફૂંકી માર્યા. હવે પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતની કાર્યવાહીમાં  પાકિસ્તાની સેનાના 11 સૈનિકોના રામ રમી ગયા, જ્યારે 78 સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાં  5 વાયુસેના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.


ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના આ જવાનોનું મોત થયું

ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના આ જવાનોનું મોત થયું

પાકિસ્તાને જણાવ્યું કે, ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના અબ્દુલ રહમાન, દિલાવર ખાન, ઇકરામુલ્લા, ખાલિદ, મુહમ્મદ આદિલ અકબર અને નિસાર માર્યા ગયા છે, જ્યારે પાકિસ્તાન વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ, ચીફ ટેક્નિશિયન ઔરંગઝેબ, ચીફ ટેક્નિશિયન નજીબ, કોર્પોરલ ટેક્નિશિયન ફારૂક અને સીનિયર ટેક્નિશિયન મુબાશીરનું મોત થયું છે.

પાકિસ્તાનના સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ સહિત કુલ 5 પાકિસ્તાન વાયુસેનાના જવાન માર્યા ગયા હતા, જે બધા જ જેકોબાબાદ એર બેઝ (સિંધ પ્રાંત) પર તૈનાત હતા. ઉસ્માન અને તેના સાથીઓ ભારત સામે JF-17 ઉડાડવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ ભારતે શાહબાઝ એરબેઝ પર હુમલો કરી દીધો.


ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ પર સમજૂતી થઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ પર સમજૂતી થઈ

ત્રણ દિવસની સતત લડાઈ બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સમજૂતી થઈ. બંને દેશોની પરસ્પર સહમતી વ્યક્ત કરી  કે હવે સરહદ પર શાંતિ સ્થાપિત થશે અને બંને દેશો વચ્ચે તણાવ ઓછો થશે. જોકે, પાકિસ્તાને તેની હરકતો બંધ ન કરી અને લગભગ 3 કલાક બાદ જ, તેણે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ડ્રોન અને મિસાઇલોથી ફરી ભારત પર હુમલો કર્યો, પરંતુ ભારતે તેનો જવાબ આપ્યો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ભારતે પોતાની કાર્યવાહીમાં 11 એરબેઝ તબાહ કરી દીધા. સોમવારે (12 મે) ભારતીય સેનાએ એક પ્રેસ બ્રીફિંગમાં તેનો પુરાવો રજૂ કર્યો.

પાકિસ્તાને ભારતને યુદ્ધવિરામ કરાર માટે અપીલ કરી. ખરાબ રીતે માર ખાધા બાદ, પડોશી દેશે 10 મેના રોજ બપોરે લગભગ 3.35 વાગ્યે ભારતીય સેનાના DGMOનો સંપર્ક કર્યો. ત્યાં સુધીમાં ભારતે આતંકવાદી માળખાને મોટા પ્રમાણ પર તબાહ કરી દીધું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top