ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં ભારે તબાહી, જાણો બંને દેશોમાં કેટલા લોકોના મોત થયા અને કેટલા ઇજાગ્રસ્ત?

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં ભારે તબાહી, જાણો બંને દેશોમાં કેટલા લોકોના મોત થયા અને કેટલા ઇજાગ્રસ્ત?

06/16/2025 World

SidhiKhabar

SidhiKhabar

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં ભારે તબાહી, જાણો બંને દેશોમાં કેટલા લોકોના મોત થયા અને કેટલા ઇજાગ્રસ્ત?

Israel-Iran conflict: ઇઝરાયલ સાથેના તણાવ વચ્ચે ઇરાનના આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસમાં ઇઝરાયલી હુમલાઓમાં 224 લોકો માર્યા ગયા છે અને 1200થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. મંત્રાલયના પ્રવક્તા હુસૈન કેરમનપોરે જણાવ્યું હતું કે 65 કલાકના ઇઝરાયલી બોમ્બમારા બાદ કુલ 1277 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 224 લોકો માર્યા ગયા છે તેમાં મહિલાઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મૃતકોમાં 90 ટકા સામાન્ય નાગરિકો હતા. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડે કહ્યું હતું કે, આ હુમલામાં ઇરાનના ગુપ્તચર વડા મોહમ્મદ કાઝમી અને 2 અન્ય જનરલો પણ માર્યા ગયા છે. આ ઉપરાંત, આ હુમલામાં ઘણા ઉચ્ચ સ્તરીય લશ્કરી અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.


ઇઝરાયલે ઇરાન સાથેના તણાવ પર શું કહ્યું?

ઇઝરાયલે ઇરાન સાથેના તણાવ પર શું કહ્યું?

તો ઇઝરાયલનું કહેવું છે કે, શુક્રવારથી દેશમાં 14 લોકો માર્યા ગયા છે અને 390 લોકો ઇજાગ્રસ્ત થયા છે. AFPના રિપોર્ટ અનુસાર, એક વરિષ્ઠ ઈરાની લશ્કરી અધિકારીએ રવિવારે ચેતવણી આપી હતી કે ઇઝરાયલના હુમલાઓનો બદલો લેવામાં આવશે. કર્નલ રેઝા સૈયદે કહ્યું હતું કે, ઈરાનના બહાદુર લડવૈયાઓની જવાબી કાર્યવાહી સમગ્ર ઇઝરાયલ (કબજા હેઠળનો વિસ્તાર)ને પોતાની ઝપેટમાં લેશે. તેમણે કહ્યું કે, ‘ઇઝરાયલના કબજાવાળા વિસ્તારો છોડી દો, કારણ કે ભવિષ્યમાં તેઓ રહેવા લાયક નહીં રહે. શેલ્ટર  પણ તમને સુરક્ષા નહીં આપી શકે.


ઈરાન પર સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે: નેતન્યાહૂ

ઈરાન પર સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે: નેતન્યાહૂ

રવિવારે, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમનો દેશ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે. તેમનું કહેવું છે કે ઈરાનના પરમાણુ સ્થળો ઇઝરાયલ અને તેના સાથીઓ માટે જોખમી છે, એટલે તેમને નષ્ટ કરવા જરૂરી છે. અમારા 2 મુખ્ય ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે અમે જે કંઈ પણ જરૂરી હશે તે કરીશું. પહેલો પરમાણુ હથિયારોનું જોખમ અને બીજો મિસાઇલ હુમલાઓનું જોખમ. તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘અમે આ પગલું પોતાની સુરક્ષા માટે ઉઠાવ્યું છે, પરંતુ અમારું લક્ષ્ય પોતાને નહીં, પરંતુ દુનિયાને પણ આ ખતરનાક સરકારથી વિશ્વને પણ બચાવવાનું છે. વિશ્વની સૌથી ખતરનાક સરકાર પાસે સૌથી ખતરનાક હથિયાર ન હોવા જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top