રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ!! સુરતની તક્ષશીલા દુર્ઘટનાની યાદ અપાવે એવી ઘટના! મેજર કોલ જાહેર!
Rajkot game zone fire: સુરતમાં થોડા વર્ષો પહેલા ઘટેલી તક્ષશિલા દુર્ઘટનાની યાદ હજી લોકોના મનમાં તાજી જ છે, જ્યાં પ્રવૃત્તિ માટે આવતા બાળકો-તરુણો જીવતા ભૂંજાયા હતા. આજે એ ગોઝારી ઘટનાની યાદ અપાવતી ઘટના રાજકોટ ખાતે ઘટી છે!
સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગ દ્વારા ત્રણ જેટલા ફાયર ફાઈટર મોકલવામાં આવ્યા છે, સાથે જ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આગની આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે, સાથે 15થી વધુ બાળકોનું રેક્સ્યૂ કરાયું છે. એવું માનવામાં આવે છે કે બંને મૃત વ્યક્તિ બાળકો જ છે! ભીષણ આગની જ્વાળાઓ અને ધુમાડાના દૂર સુધી દેખાય છે. હજી આ ઘટના અંગેના પૂરા સમાચાર મળી નથી રહ્યા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp