Surat : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શો દરમિયાન પથ્થરમારો; મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
ગુજરાત ડેસ્ક : ગુજરાત ચુંટણીને લઇને રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. રાજકીય પક્ષો દ્વારા એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો કાદવ ઉછાળમાં આવી રહ્યો છે. ગઈકાલે જ PM મોદીએ સુરતમાં જંગી રોડ-શો કર્યો હતો, ત્યારબાદ આજે સુરતમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શો કરી રહ્યા હતા તે દરમિયાન પથ્થરમારો થતાં ભાગદોડ મચી જવા પામી હતી.
ગુજરાત ચુંટણીને લઇને આપના સર્વેસર્વા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રચાર અર્થે સુરત આવ્યા હતા. આ દરમિયાન સુરતના મગનનગર-2માં જબરદસ્ત રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પથ્થરમારો થયો હતો. જંગી મેદની વચ્ચે પથ્થરરો ઉડતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મહત્વનું છે કે ગત તા. 26 ના રોજ રાત્રે સુરતના કતારગામમાં આવેલ લલિતા ચોકડી પાસે જનસભા યોજાઇ રહી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન પથ્થરમાંરો થયો હતો. જેમાં એક બાળકને છૂટા પથ્થરનો ઘા વાગતા તેને આંખમાં ગંભીર ઇજા થવા પામી હતી. આ અંગે જાણ થતા તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વધુમાં પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.
આ અગાઉ સુરતમાં સરથાણાના યોગી ચોકમાં AAP અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. AAP અને ભાજપના કાર્યકરોએ એક બીજા પર પથ્થરના છૂટા ઘા ઝીંકયા હતા. ઉપરાંત પથ્થરમારો કરી AAP અને ભાજપના કાર્યકરોએ કારોમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને લઇને અનેક લોકોને ઇજા પણ પહોંચી હતી. જે અંગે જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp