ગુજરાતના આ જિલ્લાના 100 મંદિરોમાં ડ્રેસ કોડ લાગૂ, ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર લાગ્યો પ્ર

ગુજરાતના આ જિલ્લાના 100 મંદિરોમાં ડ્રેસ કોડ લાગૂ, ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર લાગ્યો પ્રતિબંધ

12/06/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના આ જિલ્લાના 100 મંદિરોમાં ડ્રેસ કોડ લાગૂ, ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર લાગ્યો પ્ર

મંદિર પવિત્ર સ્થળ છે, ત્યાં મર્યાદા રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. આજના સમયમાં મંદિરોમાં પણ મર્યાદા ન જળવાતી હોય તેમ જોવા મળતું હોય છે. ત્યારે હવે રાજકોટમાં વિભિન્ન મંદિરોમાં કપડાંઓ મામલે મર્યાદામાં રહેવાના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. કેટલાક યુવાનો કપડાની ફેશનમાં માન મર્યાદા ભૂલવા લાગ્યા છે, ત્યારે હવે એવી નોબત આવી ગઇ છે કે, રાજકોટના મંદિરોમાં પણ સૂચના સાથેના પોસ્ટરો લગાવવાની નોબત આવી ગઇ છે. ફરી એક વખત ગુજરાતમાં મંદિરોમાં ટૂંકા વસ્ત્રોનો મુદ્દો ઉઠ્યો છે. રાજકોટના 100 મંદિરોમાં સનાતન ધર્મ રક્ષક સમિતિના આગેવાનોએ પોસ્ટર લગાવ્યા છે. કે મંદિરની ગરિમા જળવાઇ રહે તે માટે ટૂંકા, ફાટેલા કપડાં પહેરી પ્રવેશ કરવો નહીં.


પોસ્ટરોમાં શું લખાયું:

પોસ્ટરોમાં શું લખાયું:

આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘કડક સૂચના, મંદિર પરિષદની જગ્યામાં કોઇ પણ વ્યક્તિએ ટૂંકા વસ્ત્રો જેમ કેસ કેપ્રિ, બરમુડા, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ નહીં કરવો.’ આ પોસ્ટર સનાતન સ્વરાજ નામની સંસ્થાના કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા છે. પોસ્ટર લગાવનારા કાર્યકરોએ જણાવ્યું કે, તેઓ છેલ્લા ઘણાં સમયથી વિભિન્ન મંદિરોમાં જઈને ધ્યાન રાખી રહ્યા હતા કે, મંદિરમાં મર્યાદા જળવાય છે કે નહીં. જો કે, તેમને ઘણી જગ્યાએ મંદિરમાં મર્યાદા ન જળવાતી હોવાનું જાણવા મળ્યું હતું. તેથી આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.


રાજકોટ પંચનાથ મંદિરના સંચાલકે કર્યા વખાણ:

આ મામલે રાજકોટ પંચનાથ મંદિરના સંચાલકે જણાવ્યું કે, યુવાનોની આ કામગીરી પ્રશંસનીય છે. તેમણે પણ મંદિરમાં આ પોસ્ટર મારવાની મંજૂરી આપી હતી. તો મંદિરમાં આવતા ભક્તોએ પણ કહ્યું હતું કે, મંદિર એ પવિત્ર જગ્યા છે, કોઈ ફરવાલાયક સ્થળ નથી. અહીં આવતા ભક્તોએ ખાસ કપડાંની મર્યાદા જાળવવી જ જોઈએ. એક સમય હતો કે, લોકો એવા પોશાક પહેરતા કે જેથી કરીને માન-મર્યાદા જળવાય રહે એમાં પણ જ્યારે મંદિરે જતા ત્યારે પોશાકનું ખાસ ધ્યાન રાખતા. જો કે, બદલાતા સમય સાથે પહેરવેશમાં પણ અવનવી ફેશન આવી. તેમાં પણ ખાસ કરીને આજકાલના યુવાનો પશ્ચિમની સંસ્કૃતિને અનુસરીને ટૂંકા વસ્ત્ર વધારે પહેરવાનો પસંદ કરી રહ્યું છે. ત્યારે હવે રાજકોટના વિભિન્ન મંદિરોમાં પણ પોસ્ટરો લાગ્યા છે.


સારા વસ્ત્રોથી ભક્તોને પણ સારી ઉર્જા મળશે: યોગી દેવનાથ બાપુ:

સારા વસ્ત્રોથી ભક્તોને પણ સારી ઉર્જા મળશે: યોગી દેવનાથ બાપુ:

આ નિર્ણય મામલે એકલધામના મહંત યોગી દેવનાથ બાપુનુ કહેવું છે કે, ટૂંકા વસ્ત્રો પહેરવાની ના નથી. તે પહેરવાની છૂટ છે, પંરતુ મંદિરમાં શ્રદ્ધાની ભાવના સાથે જવાનું હોય છે. વસ્ત્રનો ત્યાં ચોક્કસ પ્રભાવ હોય છે. મંદિરમાં થોડા લાંબા વસ્ત્રો પહેરીને જવું જોઈએ. થોડો સમય વ્યવસ્થિત કપડાં પહેરવાથી કંઈ થતું નથી. સારા વસ્ત્રોથી ભક્તોને પણ સારી ઉર્જા મળશે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top