Video: હિમંત બિસ્વા સરમાએ આપ્યો શૂટ એટ સાઇટનો ઓર્ડર, ગોળી મારવાનો આદેશ આપવાનો અધિકાર કોને હોય છે?
આસામના ધુબરીમાં પ્રખ્યાત હનુમાન મંદિરની બહાર ગાયનું માથું મળવાનો મામલો જોર પકડી રહ્યો છે. હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, 'ધુબરીમાં એક વિશેષ વર્ગ આપણા મંદિરોને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી સક્રિય થઈ ગયો છે. મેં શૂટ એટ સાઇટનો આદેશ આપ્યો છે.’
8 જૂને રવિવારે સવારે મંદિરની બહાર ગાયનું માથું મળી આવ્યા બાદ સ્થાનિક સ્તર પર તેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ મુખ્ય રસ્તો બંધ કરીને ટાયરો સળગાવીને ગુનેગારો સામે કાર્યવાહીની માગ કરી હતી. મામલો હાથમાંથી બહાર જતો જોઈને ધુબરીના ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષકે લોકોને સમજાવ્યા હતા અને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. હવે મુખ્યમંત્રીએ પોતે શૂટ એટ સાઇટના ઓર્ડર આપ્યા છે, તો ચાલો તમને જણાવી દઈએ કે ગોળી મારવાનો આદેશ આપવાનો અધિકાર કોને હોય છે.
શૂટ એટ સાઇટનો આદેશ મોટાભાગે એવા પ્રસંગોએ આપવામાં આવે છે, જ્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી હોય અને તે છેલ્લો વિકલ્પ હોય. ભારતના કાયદા મુજબ, રાજ્ય સરકાર પાસે તેને જાહેર કરવાની સત્તા હોય છે. તે સામાન્ય રીતે હિંસા અથવા સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં, ઘટનાસ્થળ પર હાજર મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી ભીડને ગેરકાયદેસર જાહેર કરીને આ આદેશ જાહેર કરી શકે છે જેમાં પોલીસ પોતાને બચાવવા માટે યોગ્ય પગલાં લઈ શકે છે.
धुबरी में एक विशेष वर्ग हमारे मंदिरों को क्षति पहुंचाने की नीयत से सक्रिय हो चुका है।We have issued SHOOT AT SIGHT ORDERS. pic.twitter.com/DDYqe0Xe1f — Himanta Biswa Sarma (@himantabiswa) June 13, 2025
धुबरी में एक विशेष वर्ग हमारे मंदिरों को क्षति पहुंचाने की नीयत से सक्रिय हो चुका है।We have issued SHOOT AT SIGHT ORDERS. pic.twitter.com/DDYqe0Xe1f
તેમાં ભીડ અથવા પ્રદર્શન કરી રહેલા લોકોને દૂર કરવા માટે ફાયર આર્મ્સનો ઉપયોગ થાય છે. હિંસાના કિસ્સામાં ટીયર ગેસ, રબર બુલેટ, લાઠીચાર્જ, વોટર કેનન અથવા ગોળીઓનો પણ ઉપયોગ કરી શકાય છે. જો કે, આ દરમિયાન લેવામાં આવેલા તમામ નિર્ણયો કાનૂની પ્રક્રિયાને અનુસરીને લેવામાં આવે છે.
આસામનો ધુબરી જિલ્લો ચર્ચામાં રહે છે. જો કે, 8 જૂન બાદ તે ખૂબ ચર્ચામાં છે. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ધાર્મિક હિંસા ભડકાવવા માટે વોર્ડ નંબર 3માં સ્થિત પ્રખ્યાત હનુમાન મંદિરની બહાર ગાયનું માથું કાપીને રાખવામાં આવ્યું હતું. ઘટના બાદ, ક્ષેત્રમાં ભારે તણાવની સ્થિતિ છે. તણાવને ધ્યાનમાં રાખીને કર્ફ્યૂ પણ લાદવામાં આવ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp