અમદાવાદ પ્લેન ક્રેશ પાછળ ક્યાંક આ 6 કારણો તો નથી ને..? જાણો કઈ પરિસ્થિતિઓમાં થઈ શકે છે અકસ્માત

અમદાવાદ પ્લેન ક્રેશ પાછળ ક્યાંક આ 6 કારણો તો નથી ને..? જાણો કઈ પરિસ્થિતિઓમાં થઈ શકે છે અકસ્માત

06/14/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદ પ્લેન ક્રેશ પાછળ ક્યાંક આ 6 કારણો તો નથી ને..? જાણો કઈ પરિસ્થિતિઓમાં થઈ શકે છે અકસ્માત

ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થઈ ગયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી માત્ર  એક જ વ્યક્તિ જીવિત મળ્યો હતો. આ ઉપરાંત, આ અકસ્માતમાં બાકીના બધા લોકોના મોત થઈ ગયા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા, જેમનું મોત થઈ ગયું. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાણ ભર્યાના થોડા સમય બાદ જ વિમાન અચાનક ક્રેશ થઈ ગયું. જોકે, હવે આ અકસ્માત શા માટે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.


પ્લેન ક્રેશ પાછળ આ 6 કારણો હોઈ શકે છે

પ્લેન ક્રેશ પાછળ આ 6 કારણો હોઈ શકે છે

વિમાન દુર્ઘટના બાદ, તેની તપાસ હજુ પણ ચાલી રહી છે. જોકે, સામાન્ય રીતે આ અકસ્માત પાછળ કેટલાક મહત્ત્વપૂર્ણ કારણો હોઈ શકે છે. તેમાં 6 મુખ્ય કારણો નીચે મુજબ હોઈ શકે છે.

  1. વિમાનના બંને એન્જિન એક સાથે ફેલ થવા
  2. વિમાન સાથે પક્ષી ટકરાઇ જવું
  3. વધુ પડતી ગરમી હોવી
  4. વધારે વજન હોવું
  5. એન્જિનમાં તેલ ન પહોંચવું
  6. ટેક્નિકલ/ઇલેક્ટ્રિકલ ખામી આવવી.

બ્લેક બોક્સ મળ્યું

બ્લેક બોક્સ મળ્યું

જોકે, વિમાનનું બ્લેક બોક્સ મળી ગયું છે. આ વિમાનનું DVR અને ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર પહેલાથી જ મળી ચૂક્યું છે. આ બંને ઉપકરણોમાં વિમાન અકસ્માત સાથે જોડાયેલી ટેકનિકલ માહિતી હોતી નથી. DVRમાં માત્ર ઘટનાઓ રેકોર્ડ થાય છે, જે વિમાનમાં લાગેલા કેમેરા કેદ કરી શકે છે. તો, ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટરનું કામ માત્ર વિમાનનું લોકેશન બતાવવાનું હોય છે. બધી ટેક્નિકલ માહિતી બ્લેક બોક્સમાં જ હોય છે. એવામાં, હવે આ મામલાની તપાસ વધુ ઝડપથી થઈ શકશે.

3 એજન્સીઓ અકસ્માતની તપાસ કરી રહી છે. તેમાં, ભારતનું એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB), અમેરિકાનું નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને બ્રિટનની એર એક્સિડેન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ તપાસમાં મદદ કરી રહી છે. આ ઉપરાંત, અકસ્માત બાદ DGCAએ બોઇંગ 787-8/9 વિમાન પર સુરક્ષા તપાસ વધારવાના નિર્દેશો જાહેર કરી દીધું છે. નવા નિર્દેશ 15 જૂન, 2025ના રોજ મધ્યરાત્રિ 12:00 વાગ્યાથી અમલમાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top